________________
૩૪૨
નીતિશાસ્ત્રપ્રવેશ ૧. આ સંબંધી પ્રથમ એમ કહેવાનો હરકત નથી કે, એવી પૂર્ણાવસ્થા કેઈ કાને પ્રાપ્ત થશે કે કેમ તે વિષે શંકા જ છે. સ્પેન્સર કહે છે કે એ સુદિન આવશે, પણ ખૂદ પેન્સરને સ્વીકારવું પડે છે કે, એ સ્થિતિ નિત્ય અથવા હમેશની નથી. પૂર્ણવિકાસાવસ્થા અતિશય નાજુક એટલે અનિત્ય છે. જાણે કે વિકાસના ઉચ્ચતમ શિખરે પહોંચ્યા પછી ચક્કર આવી ત્યાં ઊભા રહેવાનું મુશ્કેલ બને છે અને પૂર્ણ વિકાસ પછી જલદીથી જ ધડધડ વિનિપાત (Devolution) થવાનો આરંભ થાય છે; એવા પ્રકારને તેને અભિપ્રાય છે.
૨. નીતિમત્તાને પૂર્ણ વિકાસ થયો “સદાચાર' અને સુખ ને ઝઘડે મચશે એમ સ્પેન્સર કહે છે, પણ તે કેટલાકને પસંદ નથી. સદાચાર વિશિષ્ટ મર્યાદા સુધી જ સુખકર છે, અનુભવ કહે છે કે, જેને સુખની જરૂર હોય છે તેને માટે સદાચારનો માર્ગ હમેશાં જ ઈટ હેડ નથી. કેટલીક બખત સદાચાર પ્રાયજ્ઞ કરવા કહે છે તો સુખયજ્ઞની શી વાત કરવી ? આ સંબંધમાં ધ્યાનમાં રાખવા જેવું છે કે, લેસ્લી સ્ટીફન (Leslie Stephen) નામના વિકાસવાદી તત્ત્વવેત્તાએ પણ એન્સરના અભિપ્રાયનો ત્યાગ કરે છે. તે કહે છે કે, “સદાચાર અને સુખનું અખલિત સાહચર્ય હોય છે એમ બતાવવાના પ્રયત્ન કરવો તે વર્તુળના ક્ષેત્રફળ જેટલા ક્ષેત્રફળવાળા ચતુષ્કો તૈયાર કરવાના પ્રયત્ન જેવો – અથવા અખ્ખલિત ચાલુ રહે તેવી ગતિ ઉત્પન્ન કરવાનું યંત્ર તૈયાર કરવાના પ્રયત્ન જેવો જ –(અસાયટીને) છે.”
The attempt to establish an absolute coincidence between virtue and happiness is in ethics what the attempting to square the circle or to discover perpetual motion is in geometry or mechanics. Science of Ethics P. 430. Quoted in Muirhead's Ethics. P, 152.
૩. વિકાસવાદ બહુ તે એટલું કહી શકશે કે, સુષ્ટિને વિકાસ અમુક ધોરણે થતું જાય છે. આ બેગ વિશિષ્ટ વ્યક્તિએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org