________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર
૩ ૪ સ્પેન્સર કહે છે કે, પ્રાણીમાં વિકાસ થતો ગયે એ જ એને અર્થ છે. એકપેશી જીવમાંથી અનેકપેશી છવ, તેમાંથી મત્સ્ય, તેમાંથી સર્પપછી દિજઠરવાન જતિ, પછી ચતુષ્પાદ, પછી વાંદજાતિ અને પછી નરતિ એવાં આ વિકાસનાં જે ચઢતાં પગથિયાં છે તે ઓળંગતાં કયા ગુણનું અધિકાધિક ઉચ્ચત્વ નજરે પડે છે ? અવયવની અનેકતા, વિવિધતા, સંમિશ્રતા અને અન્યાશ્રય ગુણનું જ. નાનો બુદ્ધિની દષ્ટિએ અને નૈતિક દષ્ટિએ વિકાસ થાય છે એટલે એ દષ્ટિએ તે ઉચ્ચ બનતો જાય છે અને સમાજનો વિકાસ પૂર્ણ થશે એટલે તેમાં સુથાર, લુહાર વગેરે અનેક જાતિ અથવા વર્ગ ઉપન્ન થશે, તેમાં ભિન્નત્વ, પરસ્પરાવલંબિત અને પરસ્પષકત્વ અંધક વધશે. જંગલી સ્થિતિનાં મા અને માનવ સમાજ અને સાદા અને અસંબદ્ધ સ્વરૂપનાં હતાં, પરંતુ વિકાસ પૂર્ણ થયા પછી તે વિવિધ. સંમિશ્ર અને અસંબદ્ધ સ્વરૂપ ધારણ કરશે. વિકાસવાદને ફિત્વના આથી વિશેષ ઉચ્ચ અર્થની ખબર નથી !
કોઈ કદાચિત કહેશે કે “છે; એથી ઉચ્ચતર અર્થ છે અને તે ઉપરાંત અર્થ કરતાં અધિક સુબોધ રીતે અને ટૂંકામાં કહી શકાય તેવો છે.” એ અર્થ આ પ્રમાણે છે: પ્રાણીઓનો આધક વિકાસ થતું જાય છે એટલે તે પરિસ્થિતિની સામે ટક્કર મારવાને અધિક સમર્થ બને છે. પરિસ્થિતિને જવાબ દેવાનું અધિક સામર્થ્ય, અથવા પરિસ્થિતિને અનુરૂપ સ્વરૂપપ્રાપ્તિ – અથવા એથી ટૂંકામાં કહીએ તે પરિસ્થિત્યનુરૂપત્ર ( Adaptation) – નું નામ ઉચ્ચત્વ. માનવ સમાજ અધિક વિકાસ પામે છે એનો અર્થ એ છે કે તે પરિસ્થિતિને અધિક અનુરૂપ થયો છે અને તેથી તે પોતાનું સંરક્ષણ કરી લેવાને અધિક સમર્થ છે. માનવ સમાજની પૂર્ણ વિકાસાવસ્થા તે છે . જેનામાં પરિસ્થિતિને જવાબ દેવાની પૂર્ણ શક્તિ આવી ગઈ છે. નીતિતત્ત્વનું પૂર્ણત્વ અથવા ઉચ્ચતમત્વ આવા જ પ્રકારનું છે. “જે તત્ત્વ પાળવાથી સર્વોત્તમ રીતે પરિસ્થિતિની સામે થઈ શકાય તે તત્ત્વ સર્વમાં ઉત્તમ.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org