________________
નીતિશાસ્ત્ર પ્રવેશ જીવનરક્ષણની દષ્ટિએ લાભકારક ગણને સૃષ્ટિએ અથવા પરિસ્થિતિએ અન્ય ગુણમાંથી ચૂંટી કાઢેલે (Natural selection ) જણાતો નથી; કારણ કે એ ગુણ આ દષ્ટિએ ખાતરીપૂર્વક ઉપયોગી હોવાનું અનુભવ તે કહેતા નથી.
આ સંબંધમાં કદાચિત કઈ કહેશે કે, “એ ગુણ સામાન્યતઃ પણ ઉપયોગી છે ને ? પ્રત્યેક પ્રસંગે એ ગુણ કે જીવનરક્ષક નહિ હોય, પણ સામાન્યતઃ” ઉપયોગી છે એમ તો કહેવું જ જોઈએ. આ દૃષ્ટિએ જોતાં આ ગુણ ધરાવનારાઓને સૃષ્ટિએ ઊંચકી લઈ અન્ય લોકોને નીચે નાંખી છેવટે નષ્ટ કર્યા હશે એમ કહેવાને હરકત નથી.’
કબૂલ કરવું જોઈએ કે, ઉધોગપ્રિયતા, સ્વાભિમાન, સત્યવક્તત્વ વગેરે ગુણોની આવી રીતે ઉપપત્તિ લગાડવી તદ્દન અશક્ય નથી. “તદ્દન અશક્ય નથી” એમ કહેવાનું કારણ એ છે કે, સર્વ સદ્દગુણની કુદરતી ચૂંટણીના અંધારે (Natural selection) ઉપપત્તિ લગાડવી આ લેખકને અતિ દુર્ઘટ લાગે છે. મેટા મેટા અનુભવી, વિદ્વાન અને સુજ્ઞજનેને પણ એ જ અભિપ્રાય છે. ઈગ્લાંડના માજી વડાપ્રધાન અને “Foundations of Belief” વગેરે તાત્વિક ગ્રંથના કર્તા પોતાના Humanism and Theism નામના ગ્રંથમાં એમ જ કહે છે. બાફરને આધિભૌતિક શાસ્ત્રનું જ્ઞાન નથી કિવા તે વિષે માન નથી એમ નહિ કહી શકાય તો પણ તેમની ધર્મ તરફ ભાવના હોવાથી ધાર્મિક સમજૂત વિરુદ્ધ રહેલા વિકાસવાદ વિષે તેમનું મન પ્રથમથી જ દૂષિત હતું એમ કહેવાને અવકાશ છે. પરંતુ હકલે માટે તેમ કહી શકાય તેવું નથી. હકક્કે સાહેબને પણ આ પ્રશ્ન વિષે એ જ અભિપ્રાય છે.
(ઈ) વિકાસવાદના નૈતિક ધ્યેય વિષે બે ત્રણ દૃષ્ટિએ આક્ષેપ થઈ શકે છે. પદાર્થોને વિકાસ થતો જાય છે અને તે ઉચ્ચતર કેટીમાં આવ્યું જાય છે, એમ જ્યારે વિકાસવાદી કહે છે ત્યારે “ઉચ્ચત્વ” વિષે તેની કેવી કલ્પના હોય છે ? “જીવ જડથી ઉચ્ચ છે. અહી ઉચ્ચાવ એટલે શું, તે તેમાં અવયવની અધિક વિવિધતા, પરસ્પરાવલંબિત્વ અને સંમિશ્રતા જણાઈ આવે છે. તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org