SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર શાસ્ત્રવેત્તા ઍફેસરની છે અને તે વિચારવા જેવી જયાથી અહીં આપી છે. આવા યુક્તિવાદને વિચાર કરતાં, બાળપ્રેમ જાતિસંરક્ષણ દષ્ટિએ લાભકારક છેવાને અનુભવ ભાવી પેઢીમાં સંક્રાંત થયો હશે કે નહિ એ વિષે શંકા લેવામાં કંઈ અગ્ય થશે નહિ. પણ કેટલાક વિકાસવાદીઓ એના જવાબમાં શું કહે છે તે પાછળ કહી ગયા છીએ. તેમની વાતનું તાત્પર્ય એ છે કે, માતૃપ્રેમની ઉપયુક્તતાને અનુભવ છે કે બાળકને સંસ્કાર દ્વારા પ્રાપ્ત થતું નહિ હોય; પણ જે લેકમાં બાળપ્રેમ “સ્વભાવતઃ જ” વિશેપ હ તેમને જ જીવનકલહમાં ટકાવ થયો અને તેમની જ વંશવૃદ્ધિ થઈ તેથી આપણામાં એ સગુણ સ્વાભાવિકપણે આવ્યું. કબૂકે છે. એ રીતે સ્વચ્છતાની પસંદગી, પરેપકારબુદ્ધિ, વળતા અભિમાન, દેરાભિમાન વગેરે ગુણો ઉપર લગાડી સૂકાશે એ પણ કબૂલ છે. કેમકે એ ગુણ પરિસ્થિતિની સામે થવામાં ઉપયોગી છે એમાં કોઈ શંકા નથી. પરંતુ, સર્વ નૈતિક વિષ્ણુની પ્રવી ઉ૫પત્તિ લાગવી શક્ય નથી. કારણકે નૈતિક સગુણ સ્વપ્રાણરક્ષણ કે જાતિરક્ષણમાં હમેશાં જ ઉપયોગી થાય છે કિવા થશે એ ખરું નથી.' જગત માં સદાચારથી ચાલનારનું સારું ચાલે છે એ વાત ખરી છે અને પરી પણ છે. જે ઉદ્યોગ હશે કિવા વ્યાપાર કુશલતાથી કરશે કિંવા આપેલું વચન પાળશે તેનું પ્રભુ કલ્યાણ કરશે એવી આશા રાખવી; સઘi નિયામિયુઝાનાં યોગક્ષેમં વાન્યમ વગેરે આશ્વાસન પ્રભુમુખમાંથી નીકળેલ છે માટે ખરાં માનવાં; પરંતુ ઘણી વખત એથી જુદો જ અનુભવ થાય છે. એકાદ વખત વ્યાપારમાં લુચ્ચાઈ ન કરવાથી સંસારને પાયે ખસી જવાનો પ્રસંગ આવે છે. એવા પ્રસંગે જે અડગ રહી સત્યને વળગી રહે તે જ ખરે સદાચારસંપન્ન કહેવાય. પણ એ વખતે ત્રિભુવનવંઘ સદાચાર તેના જીવનકલહમાં ઉપયોગી નહિ જ થાય, અને પ્રાણરક્ષણની દષ્ટિએ અપાયકારક થશે. કેટલીક વખત સત્યના પાલનથી કીતિ મળે છે પણ પ્રાણ જાય છે એ અનુભવસિદ્ધ છે. માટે સદાચાર આ કલમય સંસારમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy