________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર
૩૩૭ (ઈ) સ્પેન્સર કહે છે કે, માતાને બાળપ્રેમ જાતિસંરક્ષણને ઉયુક્ત હોય છે; એ બાબતને જંગલી સ્થિતિના માણસને અનુભવ થયો અને એ અનુભવ આનુવંશિક સંસ્કાર દ્વારા પછીની પેઢીઓમાં ઊતરી દર પેઢીએ અધિકાધિક દૃઢ થતો ગયો અને પરિણામે હાલમાં બાબપ્રેમ તદ્દન સ્વાભાવિક બની ગયો છે. નતિકભાવના પ્રકૃતિસિદ્ધ (Innate ) હોવાનું કહેનાર અને તે અનુભવ પ્રાપ્ત હોવાનું જણાવનાર એ બે પક્ષ વચ્ચે સ્પેન્સરે કરેલો તોડડ કૌતુકાસ્પદ છે. પરંતુ તેમાં એક દેષ છે. અનુભવ પ્રાપ્ત ગુણ બાળકમાં સંક્રાંત થતું હોવા વિષે પુરાવો નથી. પુત્રને પિતાનું રૂપ મળે છે, તેનું ચાલવું, બેસવું, ઊઠવું આબેહૂબ પિતાની માફક હોય છે, એ સર્વને અનુભવની વાત છે. પરંતુ રૂપ વગેરે ગુણ પિતાના બીજના હોય છે અને એવા બીજસિદ્ધ ગુણ માત્ર જ બાળકમાં ઊતરે છે એમ કેટલાક શાસ્ત્ર કહે છે પિતાનું રૂપ કિંવા પદ્ધતિ પુત્રને પ્રાપ્ત થશે; પણ પિતાના ગાલ પર તલવારના ઘા થયેલ હોય છે તે એ ઈજન્મપ્રાપ્ત (acquired) ગુણ બાળકને મળે છે એવું કંઈ અનુભવમાં જણાયું નથી. પિતા ઇતિહાસમાં નિપુણ હોવા માત્રથી બાળક તેમાં જલદી નિપુણ બને છે એમ કહેવાને કોઈ પણ આધાર
નથી.
ઘણી વખત કહેવામાં આવે છે કે, બ્રાહ્મણની બુદ્ધિ પૂર્વ સંસ્કારથી અધિક તીવ્ર થયેલી છે અને એ જ કારણે શકની મંદ થયેલી છે; પણ એ વિષે નિર્વિવાદિત આધાર નથી. કેટલાક કહે છે કે, બ્રાહ્મણનાં બાળક વર્ગમાં અધિક હેશિયાર દેખાય છે તેનું કારણ એ છે કે, તેમને બાળપણથી જ ઘરમાં સારા સંસ્કાર મળે છે. વળી તેઓ કહે છે કે, બ્રાહ્મણનાં સે બાળક અને શુદ્રનાં સે બાળકને જન્મની સાથે જ કોઈ સ્થળે લઈ જઈ તેમને એકસરખી સ્થિતિમાં ઉછેરવામાં આવે અને તેમાં જે બ્રાહ્મણનાં બુદ્ધિમાન બાળકનું પ્રમાણ અધિક જણાય તે કબૂલ કરીએ કે, બ્રાહ્મણનાં બાળક સ્વભાવતઃ અધિક હોશિયાર હોય છે. તેમના આ યુક્તિવાદમાં ઘણે તયાંશ છે. બ્રાહ્મણની આધક વિદત્તા આંધળે જ ન જોઈ શકે; પણ એમ કેમ ન માનવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org