________________
નીતિશાસ્ત્રપ્રવેશ આપણે પૂર્ણ વિકાસ થશે એટલે આપણે આનંદ અને સ્વાભાવિક પ્રવૃત્તિથી જ નીતિનિયમ પાળીશું. તે વખતે નિયમનું બંધકત્વ આપણને ખેંચવાનું નથી. તે સમયે મુનઃપૂતું સમારેલું જ શાસ્ત્રાર્થ અને એ જ વેદાણા ગણાશે. તે સમયે સુખ અને વિવેક, પિતાનું સુખ અને સમાજનું સુખ, સંકુચિત દૃષ્ટિ અને વિશાળ દષ્ટિ એવા ભેદ કરવાનું કારણ રહેશે નહિ; કેમકે તે કાળના માણસે ૨ કુદરતી રીતે જ દૂરદષ્ટિવાળા હશે, સમાજના હિતમાં જ તેમને સુખ સમજાશે અને તેમના હાથે અવિવેક થશે જ નહિ –- તેવી પ્રવૃત્તિ પણ નહિ થાય. એનું જ નામ બંધનાતીતત્વ અથવા જીવનમુક્તવ !
સ્પેન્સરની ઉપપત્તિ પરના આક્ષેપ (અ) “સર્વ લેક સર્વદા સુખ શોધે છે.' સ્પેન્સરનું આ સૂત્ર સાર્વત્રિક છે. મનુષ્યને સુખ જોઈએ છે, પરંતુ તેનાં સર્વ કર્મ એ જ ઉદેશથી પ્રેરાયેલાં છે એમ કહેવું તે ખોટું છે. ભૂખ લાગી હોય છે ત્યારે આહાર કરવામાં આવે છે તે આહારથી ઉપન્ન થનારા સુખ માટે નહિ, પણ અન્નની જરૂર હોય છે તે માટે. ભૂખ નહિ હોવા છતાં શિખંડપૂરી ખાવામાં આવે તે તે માત્ર એકાદ વખત રસના સુખ માટે હોય છે. “એકાદ વખત ' કહેવાનું કારણ એ છે કે, કેટલીક વખત પિતાના સુખ માટે નહિ પણ જમાડનાર કે મિત્રના આગ્રહથી ખાવામાં આવે છે. ભૂખ હોય છે તે વખતે શિખંડ પૂરી ખાવામાં આવે છે તે પિટની જરૂર માટે ખાવામાં આવે છે; શિખંડજન્ય સુખ માટે નહિ. આગ્રહને લીધે ખાવામાં આવે છે તે પણ શિખંડજન્ય સુખ માટે નહિ. સુખ માટે ત્યારે જ ખાવામાં આવે છે કે જે વખતે ભૂખ કે આગ્રહ નહિ હોવા છતાં શિખંડ જોઈ મેંમાં પાણી છૂટે છે તેથી ખાવામાં આવે છે. એવું જ સર્વ પ્રકારના સુખ માટે છે. કેટલુંક કાર્ય સુખ માટે કરવામાં આવે છે અને કેટલુંક કરતી વખતે તજજન્ય સુખના વિચારને આપણા મનને સ્પર્શ પણ હેત નથી. કેટલીક વખત તે અમુક કાર્યથી દુ:ખ થશે એવી ખબર હોય છે છતાં કર્તવ્ય તરીકે તે કાર્ય કરીએ છીએ. અરે એકાદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org