________________
૩૩૩
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર ખેંચાતાં સ્વાભાવિક રીતે જ અત્યંત સુખકર માર્ગ તરફ પ્રવૃત્ત થશે અને મનઃસંયમની જરૂર નહિ રહે.
બંધનાતીતત્વ અથવા જીવમુક્તત્વ અર્થાત તે વખતે નૈતિક બંધન જેવું કંઈ નહિ રહે; કેમકે જે ભળતી દિશામાં જાય છે તેને જ “ધી” હોય છે. સ્વાભાવિક રીતે જ સન્માર્ગે જનાર મનને વિવેકરજજુથી બાંધવાની જરૂર જ નથી. હાલની આપણી અલ્પવિકસિત અવસ્થામાં કાયદા, લેકમત વગેરે બંધનની આવશ્યકતા છે. કેમકે, આપણું મન હરાયા હેરની માફક પરધન, પરસ્ત્રી તરફ જતું હોય છે. પણ જ્યારે ગરીબ ગાયની માફક સીધા માર્ગે જવાનું શીખશે ત્યારે વિવેકપાશથી તેને પમ બાંધવાની શી જરૂર રહેશે? હાલમાં આપણને નીતિનિયમ બંધનકારક લાગે છે, કેમકે આ પણ મનને અન્ય દિશાએ જવું હોય છે. પણ આપણું મન ધીમે ધીમે સુધરી પરિસ્થિતિને પૂર્ણ અનુરૂપ બનશે એટલે તે
માર્ગ તરફ સ્વાભાવિક રીતે જ જશે અને પછી નીતિ તથા મનઃપ્રવૃત્તિ વચ્ચે ભેદ જ રહેશે નહિ,
નીતિબંધન, નીતિબંધન આ પણે કહ્યા કરીએ છીએ તેને અરે અર્થ (સ્પેન્સરના મત પ્રમાણે) એ છે કે, તમને જે અમુકની જરૂર હોય તે (દાખલા તરીકે અધિકમાં અધિક સુખ જોઈતું હોય તે) અમુક વાત – કાર્ય (દાખલા તરીકે, આત્મનિયમન) કરવાની તમારી ફરજ છે એવા પ્રકારના નિયમ. આપણને સુખ સમૃદ્ધિની જરૂર છે માટે ચેરી ઉપયોગી નથી, ર 1 ચોરને દંડે છે માટે ચોરી ન કરવાની ફરજ છે. પછીથી ચોરી નહિ કરવાનું બંધન આપોઆપ તૂટે છે અથવા શિથિલ બને છે, કારણ કે, પછીથી ચોરી કરવાની ઇચ્છા જ નષ્ટ થાય છે. નીતિબંધત કંઈ ઈશ્વરે આપણા પર નાખેલાં નથી કિંવા ધર્મશાસ્ત્ર તેમને ગાંસડ આપણુ ગરદન પર ગોઠવતાં નથી. આપણને સુખની જરૂર હોય છે અને તે સાધ્ય કરવા માટે વિશિષ્ટ નિયમના પાલનની આવશ્યકતા હોય છે તેથી એ અનિવાર્ય નિયમનું બંધન આપણે સ્વીકારી લઈએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org