________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર
૩૩ ઈશ્વરદત્ત છે. સાધારણ માણસ સદસદ્વિવેકબુદ્ધિને ઈશ્વરદત્ત માને છે. મીલ, એન્થમ વગેરે કહે છે કે માણસને જીવનમાં પોતાના કૃત્યનાં પરિણામે ઊપજતા સુખદુઃખને જે અનુભવ થાય છે તે ઉપરથી આપણે એ નીતિનિયમ ઠરાવીએ છીએ. સ્પેન્સરે એ બને પક્ષની પિતાની પદ્ધતિથી એકવાક્યતા કરી છે. તે કહે છે કે, આપણું પૂર્વજોએ સુખદુ:ખાત્મક અનુભવ પરથી જ નીતિનિયમ નિયત કર્યા હતા; પણ એ નિયમ હવે હજારે પેઢી થઈ ગયા પછી આપણને સ્વભાવતઃ જ સમજાય છે. આદર્શ ભૂત અથવા નીતિષ્ટિએ પૂર્ણ વિકસિત મનુષ્ય
હાલની સંસ્કૃતિમાં નીતિમત્તાને પૂર્ણ વિકાસ થયે છે એ વડત પેન્સરને માન્ય નથી, પૂર્ણ વિકાસ થયા પછી માણસની નીતિમત્તા કેવી હશે તે વિષે તેણે પિતાને મત દર્શાવેલ છે. એ અભિપ્રાય આ ટૂંકી હકીકતમાંથી પણ દૂર રાખી શકાય તેમ નથી.
મનુષ્યના નીતિવિકાસના તદ્દન આરંભકાળમાં માણસ ક્ષણિક અથવા અહિતકર સુખની પાછળ ભમી નુક્સાન પ્રાપ્ત કરી લેતો હતો, પરંતુ તેને એ અનુભવ જેમ જેમ વૃદ્ધિગત થો ગયો તેમ તેમ આત્મનિયમન કરી જે કાર્યથી અધિકમાં અધિક સુખ મળે તેમ હતું તે કરવાનું તે શીખે. હાલમાં તો પ્રાણવિઘાતક સુખ તેને સહેલાઈથી ભમાવી શકતાં નથી; કેમકે જે પૂર્વ જેને એવા આત્મઘાતી સુખને લોભ હતા તેઓ છેડા જ કાળમાં નિવશ બન્યા. એ આતમઘાતી મીસો આપણી પૂર્વે રામ પામ્યા તેથી આપણા પૂર્વજ છે, પણ તેમને પરંપરાથી જનકવિનું માન પ્રાપ્ત થતું નથી. આપણે તે જેમને આત્મઘાતી સુખને મોહ નહે તે તેમના જ વંશજ છીએ. હમણાં આપણને જે વાતે સુખકારક લાગે છે તે પ્રાણઘાતક ન હતાં પ્રાણસંરક્ષક 314. (Pleasurable actions are life - preserving actions.) હાલની સ્થિતિમાં દોષ એટલો જ છે કે, સર્વ સુખ સમાન હિતકર નથી હોતાં, – તેમનાં કેટલાંક ક્ષણિક સુખ આપે છે, પણ પછી તેનાથી દુ:ખ થાય છે. હાલમાં કઈ સુખપ્રવૃત્તિનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org