________________
૩૩૦
નીતિશાસ્ત્રપ્રવેશ સગુણ જીવનકલહમાં ઉપયોગી હોય છે અને એવા ગુણસંપન્ન માણસે જ આ કલહમાં ટકી શકતા હોવાથી કેટલાક સગુણ સ્વાભાવિકપણે જ આપણુમાં આવેલા છે. પોતે સુંદર છે કિવા ગોરો છે, એ વિષે કોઈ અભિમાન રાખે તે તે જેમ અગ્ય છે
– (કારણ એમાં તેને પિતાને શે પુરુષાર્થ છે? એ તે ઈશ્વરકૃપાથી મળેલું હોય છે.) -– તે પ્રમાણે જ “હું મારા બાળક પર પ્રેમ રાખું છું કિવા ગરી મને જોઈ મારું હૃદય કવે છે” એ ભાવ માટે અભિમાન રાખવું તે વૃથા છે; કેમકે એ ગુણ પ્રકૃતિજ અથવા સ્વભાવસિદ્ધ છે. એવી બે રીતથી થનારા સ્વાભાવિક નીતિવિકાસને ત્રીજા એક કારણને ટેકો મળવાથી તેની પ્રગતિ જલદી થાય છે. પ્રત્યેકમાં પરાર્થબુદ્ધિ સ્વાભાવિક રીતે જ રહેલી હોય છે ખરી, પણ તે મર્યાદિત ક્ષેત્ર પૂરતી અને ઘણી જ અશક્ત હોય છે. સ્વાર્થ બુદ્ધિ અથવા સ્વમુખેચછા જ સર્વમાં પ્રબળ પ્રવૃત્તિ છે અને પૂર્વે પણ હતી જ. પણ ગંમત એવી થઈ કે, પ્રત્યેક માણસ સ્વાર્થી હોવાથી એક બીજાના સ્વાર્થ ઝઘડવા લાગ્યા. એકનું સુખ બીજાના દુઃખનું કારણ બન્યું, એકનું આળસ બીજાને ત્રાસ આપવા લાગ્યું, એકની ગંદી ટેવ જોઈ બીજાને વમન થવા લાગ્યું અને જે તે “અમુક માસ આળસુ, ગંદે, અન્યના સુખદુઃખની દરકાર નહિ રાખનાર હેવાથી ખરાબ છે એવી બીજાની – પિતાની નહિ – ટીકા કરવા લાગ્યો, પણ માણસને આત્મનિરીક્ષણશક્તિ મળેલી હેવાથી કાલાંતરે તે સમજવા લાગ્યું કે, “આળસ કે ગંદકી આપણે રાખીએ તે પણ ખરાબ જ છે.” આળસ કરવું નહિ, ચેરી કરવી નહિ, ખોટું બોલવું નહિ વગેરે વિધિનિષેધાત્મક નિયમ પ્રથમ આપણા પૂર્વજોએ અન્ય માટે કર્યા હતા; પણ વિચારો તે સર્વ તેમણે પિતાને લાગુ પાડયા. કાલાંતરે એ નીતિનિયમગ્રાહ્યતા અનુવાંશિક સંસ્કારને યોગે દઢ થઈ અને હાલના માણસોને સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થઈ
ઉપરના વિવેચનથી સમજાશે કે આપણે જેને સદસહિકબુદ્ધિ અથવા Conscience કહીએ છીએ તે એક રીતે અનુભવથી ઉત્પન્ન થયેલ છે અને એક રીતે સ્વાભાવિક અથવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org