________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર
३२९ અલ્પપણા દેષ જ તે જાતિને જીવનકલહમાં નાશ કરવાને પૂરતા હતું. બીજું પણ એક કારણ એ છે કે, બાળપ્રેમ રાખનારી અને બાળપ્રેમ નહિ ધરાવનારી જાતિ વચ્ચે યુદ્ધ થતાં પહેલી જતિ અધિક ઉત્સાહ અને સ્વાર્થ ત્યાગ પૂર્વક યુદ્ધ કરી અન્યને પરાભવ કરી શકી હશે. બાળપ્રેમ રાખનારી અને ન રાખનારી એવી ભિન્ન જાતિની કલ્પના ઉદાહરણ તરીકે લીધી છે; પણ એવી જતિ નહોતાં એક જ જતિમાં કેટલાંક માણસ બાળપ્રેમ રાખનાર અને કેટલાંક પ્રેમશુન્ય હોય છે એમ કહીએ તો પણ પ્રેમન્ય માણસ કાળાંતરે નામશેષ બને છે એમ દર્શાવી શકાશે. જેઓ બાળપ્રેમ તરફ દુર્લક્ષ કરતા હશે તેમના વંશને ડી જ પેઢીઓમાં અંત આવશે. હાલમાં માતાપિતા બાળકની પ્રકૃતિ માટે આટલી સંભાળ રાખે છે તો પણ કેટલાંક બાળક પહેલા વર્ષમાં જ મરણશરણ થાય છે તે જ્યારે માતાપિતાનું પૂર્ણ દુર્લક્ષ હતું ત્યારે કેવી સ્થિતિ હશે તેની કલ્પના સહેલાઈથી થઈ શકશે. બાળપ્રેમ સ્વભાવતઃ જ સુખદાયક છે. તેનું કારણ એ જ છે. બાળબચ્ચાં માટે સહન કરવામાં માતાને એક પ્રકારનું સુખ લાગે છે તેનું કારણ તેની ઉદાર નીતિમત્તા નથી પણ આનુવાંશિક સંસ્કારથી આવેલો અને જીવન કલહમાં ઉપયોગી ઠરે તેને એક પ્રબળ સ્વાભાવસિદ્ધ ગુણ છે ! માતાને જે બાળસેવામાં સ્વભાવઃ જ આનંદ જણાયો નહોત તો તેને હાથે એ સેવા પાર ન પડી હોત; ( કારણ, સ્પેન્સર વગેરે વિકાસવાદીઓના મત પ્રમાણે સુખપ્રાપ્તિ જ પ્રત્યેક વ્યક્તિને સદૈવ હેતુરૂપ હોય છે, અને એ સેવાના અભાવે બાળકે નષ્ટ થઈ વંશ તૂટી ગયો હોત.
માણસમાં પતિ અભિમાન, ઔદાર્ય, પરોપકારબુદ્ધિ વગેરે જે સગુણ છે તેની ઉપપત્ત પણ એવી જ રીતે લગાડી શકાશે, પણ વિસ્તારભયથી તે અહીં આપી નથી.
માણસને સુખની જરૂર હોય છે પણ અનુભવાંતે જણાય છે કે ક્ષણિક સુખ લાભકારક નથી હોતું; અને તે સંબંધની પ્રવૃત્તિ આનુવાંશિક સંસ્કારથી કમજોર બને છે એ “નીતિમત્તાનું એક જન્મકારણ છે. બીજું કારણ એવું છે કે, કઈ કઈ નૈતિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org