________________
૩૨૬
નીતિશાસ્ત્રપ્રવેશ તે પછીની જાતિ ચામડાનાં કપડાં વાપરતી હતી અને હાડકાંની સોય (!) થી ગામડાંનાં કપડાં શીવતી હતી. તે જાતિના લોકો ગુફામાં રહેતા હતા, ત્યાર પછીના ખેતી કરવા લાગ્યા, કૂતરાં, ગાય, ઘેડા વગેરે જાનવર પાળવા લાગ્યા અને એ પછી તાંબાપિત્તળ વગેરે ધાતુની શોધ થઈ એ પછીના માનવવિકાસની હકીકત આપવાની જરૂર નથી. માનવવિકાસની આ કાળપરંપરા માન્ય કરવાને હરકત નથી; પણ કાળપરંપરા અને કાર્યકારસંબંધ એક નથી, તેવી જ રીતે કાળપરંપરા અને ન્યાયશુદ્ધ સિદ્ધાંતપરંપરા એ પણ એક નથી.
સંવેદનાશન્ય જડમાંથી સંવેદનાત્મક જીવ અને અહંકારશન્ય પ્રાણીમાંથી સાહંકાર નરપતિની વંશપરંપરા ન્યાયદષ્ટિએ ચોગ્ય જણાય તે સારુ કેટલાક આવી યુક્તિ કરે છે. તેઓ કહે છે કે, પ્રથમથી જ જડ એક રીતે સંવેદન અથવા સચેતન હોય છે પણ તે સસંવેદનત્વ ગુપ્ત અથવા અવિકસિત સ્વરૂપનું હોય છે એટલું જ. જડને સંવેદનત્વનો ગુણ પ્રથમથી જ અર્પણ કર્યા પછી તેનાથી થયેલી સંવેદનાની ઉત્પત્તિ સુબોધ બને છે. અતી શાસ્ત્રજ્ઞ હેકેલ (Haeckel) પિતાની પ્રકૃતિને (Matter) પ્રથમથી જ જીવયુક્ત સમજે છે. તે પિતાના અદ્વૈતવાદને જડવાદ કહેવા દેતો નથી. તે કહે છે કે, મારું અદ્વૈત જડ-જીવાત્મક (Hylo-zoism) છે. જડત્વ અને સજીવ એક જ છે, સજીવવું અને સસંવેદનત્વનું પણ એવું જ એક છે, એવું પ્રતિપાદન કર્યો પછી જડ પ્રકૃતિમાંથી સંવેદનાયુક્ત, સાહકાર સૃષ્ટિની ઉત્પત્તિ લગાડવામાં મુશ્કેલી નથી. કારણ, તેમાં જડઃસજીવસસંવેદન=સાહકાર ગૃહીત જ છે! જડમાં સંવેદન (Sensation) છે અને એક પ્રકારનું મન અથવા અહકાર પણ છે; પરંતુ કેટી એ છે કે, અહંકાર તેમના જ્ઞાનના ક્ષેત્રમાં આવતું નથી એટલું જ જડમાં જ્ઞાનશૂન્ય મન (Unconscious mind) છે એમ કહેવું સહેલું છે; પણ “જ્ઞાનશન્ય મન’ એ વાકય “મરેલે જીવંત માણસ” કિંવા પુત્રવતી વંધ્યા સ્ત્રી” એ વાક્ય પ્રમાણે વિસંગત અથવા વ્યાઘાતાત્મક છે. એ વાત ધ્યાનમાં બેસતી નથી. મને છે પણ મનના ગુણ માત્ર નથી એમ કહેવું એટલે “અમુક માણસ ઘણે શ્રીમંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org