________________
૩૨૫
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર - ૩૨૫ કાર્યકારણને સંબંધ આપવા પ્રયત્ન થાય તે પછી વાદ થયા સિવાય ન રહે. એ જ પ્રમાણે પ્રથમ જડ વસ્તુ અને પછી સજીવ વસ્તુ એ કાળક્રમ ઘણાને માન્ય થશે પણ જડમાંથી જીવ શી રીતે ઉતપન્ન થઈ શકે એ વિષે શંકા ઉભવે છે. જડને જડ વિકાર હજારો અને લાખોની સંખ્યામાં ઉદ્ભવશે અને તે અતિ ચમત્કારિક પણ હશે; પરંતુ જડ કેટીમાંથી ચેતનાયુક્ત જીવકેટી નિર્માણ થાય છે એ ઘણાને મન ગૂઢ છે. તેવી જ રીતે અન્ય પ્રાણી મનુષ્યની પહેલાં ઉપન્ન થયો હશે એ જો કે કબૂલ છે પણ માણસનું જનકત્વ સંપૂર્ણપણે તેમને શી રીતે પ્રાપ્ત થયું એ પ્રશ્ન છે. માટીમાંથી વૃક્ષ ઊગ્યું એ વાત ખરી, ઝાડની પહેલાં માટી હતી એ ખરું, પણ કેવળ માટી જેમ વૃક્ષ ઉત્પન્ન કરી શકતી નથી તેમજ અહકારહીન પ્રાણી છે કે માણસની પહેલાં હશે અને તેમાંથી જ માણસની ઉત્પત્તિ થઈ હશે; તદપિ અહંકારશૂન્યત્વમાંથી અહંકાર કેવી રીતે નિર્માણ થઈ શકે છે એ ન્યાયદષ્ટિએ ગૂઢ છે.
શાસ્ત્ર કહે છે કે, દસથી વીસ લાખ વર્ષ પૂર્વેના માઓસીન ( Miocene ) યુગમાં પૃથ્વી પર વાનરની ઉત્પત્તિ થઈ હતી. આ વાત ખરી માનવાને હરકત નથી. વાનર પછી નર
દશ અનેક જાતિ નિર્માણ થઈ અને નાશ પામી. એ વાતના પુરાવા તરીકે ભૂમિગર્ભમાં દટાઈ રહેલ અને હાલ ઉપલબ્ધ થતી
પર મોજૂદ છે. જાવા બેટમાં એક મસ્તક મળી આવેલું છે અને ઇંગ્લંડમાં પણ એક અત્યંત પુરાતન માણસનું મસ્તક મળી આવ્યું છે. તેના મગજનો અંદાજ કરી એવું અનુમાન બાંધી રાકાય છે કે, તે માણસજાતમાં સ્પષ્ટ રીતે શબ્દોચ્ચાર કરવાની શક્તિ ન હતી, એટલે તે નર–જ તિને કૂતરાં બિલાડાંની માફક જ પિતાની ભાવના વ્યક્ત કરવી પડતી હતી. કલ્પના એવી છે કે, આવી ભાષાહીન નરજાતિને જન્મ ત્રણથી પાંચ લાખ વર્ષ પૂર્વે થયો હોવો જોઈએ. આ જાતિની માનસિક ઉન્નતિ અત્યંત કનિષ્ઠ પંક્તિની હોવી જોઈએ. અણીદાર પથરા એ તેમનાં હથિયાર હેડવાં જોઈએ. તે પછીની જાતિએ એ અણીદાર પથરા પાછળ ઘણી મહેનત કરી તેને સારે અને સવડકારક આકાર આપ્યો હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org