________________
૩૨૪
નીતિશાસ્ત્રપ્રવેશ ન્યાયદષ્ટિએ જોતાં ગમે તે ગુણમાંથી બીજે જોઈએ તે ગુણ જન્મ પામશે. દાખલા તરીકે પીળા સેનામાંથી સફેદ કપાસ નીકળે કિંવા મલિન છાણ નીકળે છે તેમાં ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ કંઈ દેશાસ્પદ નથી. પણ ત્રણ રૂપરસગંધાત્મક ગુરુથી ગુણ જાણનારો ગુણ કેવી રીતે નીકળી શકે એ વિષે ન્યાયશુદ્ધ ઉપપત્તિ બરાબર લાગી શકતી નથી. કારણ નામરૂપાત્મક જડ વસ્તુના ગુણને ગમે તેટલા ફૂટી નાખવામાં આવે, ફેરવી નાખવામાં આવે તો તેથી આકાર, રૂપ, રંગ, ગતિ વગેરે ગુણમાં ફરક પડે અને વિલક્ષણ વિલક્ષણ સ્થિત્યંતર દેખાય; પણ આકાર, રૂપ, રંગ વગેરે ગુણથી ભિન્ન ‘ગુણ જાણવાને” ગુણ તેમાંથી ઉત્પન્ન થાય નહિ. તમે હજારો લટપટ કરી એક આકારમાંથી બીજો આકાર કાઢશે, એક રંગમાંથી બીજે રંગ બનાવશો; પરંતુ કોઈ પણ આકારમાંથી ‘આકાર જાણવાને ગુણ’ કિંવા કોઈ પણ રંગમાંથી “રંગ જાણવાને ગુણ’ ગમે તે કરવા છતાં કાઢી શકશે નહિ. *
જડ કિવા સચેતનમાંથી જેમ અહંકારને જન્મ સિદ્ધ થતા નથી તેમજ ભાવનામાંથી પણ તેને જન્મ સિદ્ધ થતું નથી. કારણ ભાવના અને જ્ઞાન ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ તદ્દન ભિન્ન છે. હા, ભાવના આરંભથી જ સાહંકાર હોય છે એમ માની લઈએ તે જુદી વાત છે. આ ગૃહીત કાર્ય વસ્તુસ્થિતિને અનુસરતું હશે; પણ એ પ્રશ્ન ન્યાયશાસ્ત્રીય ઉપપત્તિને છે એટલું ધ્યાનમાં રાખવાથી સ્પષ્ટ થશે કે ભાવનામથી – શુદ્ધ અને નિર્મળ ભાવનામાંથી – અહંકારાત્મક માખણ કાઢી શકાશે નહિ.
આ આક્ષેપ વિષે એક એ મુદ્દો ધ્યાનમાં રાખવાને છે કે, આ વાદ વિકાસના કાળક્રમ વિષે નથી પણ ન્યાયશાસ્ત્રની દષ્ટિએ તેની સુસંગતિ થાય છે કે નહિ એ વિષે છે. અર્થ સ્પષ્ટ કરવા માટે કૂકડાના ફૂકરે કૂકને અને સૂર્યના ઉદયને શો સંબંધ છે તે જોઈશું. પ્રથમ કૂકડે કૂકરે પોકારે છે અને પછી સૂર્ય ઊગે છે એ કાળક્રમ વિષે કેઈથી ને કહી શકાશે નહિ; પણ એને
* આ વિષય સંબંધી માટિનના Types of Ethical Theory, II નાં ૩૯૩ થી ૪૦૦ સુધીનાં પૃષ્ણ જેવાં
Vol.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org