________________
૩૨૨
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર માટે છે તે જ સુખ, ક્રોધ, મત્સર વગેરે ભાવના માટે છે. આ ભાવના બહુધા અહંકારયુક્ત હોય છે, પણ મનેવિકાર અને જ્ઞાન એકત્ર હોય તેટલા જ પરથી તેની જાતિ એક બની જતી નથી.
વિકાસવાદ વિરુદ્ધ બીજો એક એ આક્ષેપ છે કે, એક વખત જડને જીવના જનકનું માન આપીએ; પણ જીવ કે ભાવનાથી અહંકાયુક્ત માણસની ન્યાયયુક્ત વંશપરંપરા તે કોઈ પણ રીતે બરાબર દર્શાવી શકતું નથી. અમે કબૂલ કરીએ છીએ કે, બાહ્ય અષ્ટિમાં ગમે તે પદાર્થમાંથી ગમે તે પદાર્થ મેળવી શકશે. તમે કાલસાને હીરે બનાવશે, લેખંડનું સોનું કરી દેશે, વિષ્ટાનું ધાન્ય કરશે, માટીથી સુંદર વૃક્ષ અને સુંદર લતા તૈયાર કરશે, અરે જડમાંથી હાલતાં ચાલતાં અને સુખ દુ:ખ જાણનાર જાનવર ઉત્પન્ન કરી શકશે. પરંતુ ગમે તેટલું કરે તેયે એ વસ્તુની કેટી અથવા જાતિ અહંકારયુક્ત માનવ જાતિથી તદન ભિન્ન છે. જડ પદાર્થને, સચેતન (living ) વનસ્પતિને અને ભાવનાયુક્ત પ્રાણીને “અસ્તિત્વ” છે; પણ “અમે છીએ” એવી અહંકારયુક્ત લાગણી નથી; તેમને પર અન્ય પદાર્થોની ઉણુતાત્મક, ચલનામક કિંવા અન્ય પ્રકારની અસર થાય છે; પણ “અન્ય પદાર્થ હોવાનું ” જ્ઞાન તેમને નથી. મનુષ્ય પ્રાણીનું શરીર જડ છે, પણ તેના આત્મા અન્ય વસ્તુનું અસ્તિત્વ જાણે છે અને એક અર્થમાં સર્વ પૃથ્વીને અથવા વિશ્વને પણ તેમાં સમાવેશ થાય છે. મનુષ્યપ્રાણું અન્ય પદાર્થની માફક વિશિષ્ટ ગુણધર્મ યુક્ત છે, એટલું જ નહિ પણ તે પિતાનું અને સર્વ વિશ્વનું પણ આકલન કરી શકે છે. આયનામાં અન્ય વસ્તુનું પ્રતિબિંબ પડે છે પણ આયનાને આત્મજ્ઞાન કે અન્ય વસ્તુનું જ્ઞાન પણ નથી હોતું. સોનું, રૂપું, હીરે, કેલસ વગેરે અનાત્મવાન પદાર્થને એક સ્થળે કૂટવામાં આવે, વાટવામાં આવે, તળવામાં આવે, બાળવામાં આવે તો પણ આત્મયુક્ત અથવા અહંકારયુકત પદાર્થ કેવી રીતે તૈયાર થાય છે તે ન્યાયદષ્ટિએ કહેવું કઠિન છે. કારણ, “હેવું” અને “છીએ એવું જ્ઞાન હોવું” એ બે વાત અત્યંત ભિન્ન છે. રૂપરસાદિગંધના ગુણથી જરૂર હશે તે બીજા રૂપરસગંધાદિ ગુણ ઉત્પન્ન થશે – અહીં આપણે શક્ય અશક્યતાને વિચાર કરતા નથી -- પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org