________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર
૩૨૧ અસિદ્ધ છે આપણા નખ કાઢતાં આપણને દુઃખ થતું નથી, પગના આંટણની ચામડી પુથી કાપી નાખીએ છીએ પણ કંઈ લાગતું નથી, ઊંઘમાં કાતરથી કેશ કાપી નાખીએ છીએ તે તેની સહેજે અસર જણાતી નથી, તેવું જ વનસ્પતિનું છે એમ કેટલાક કહે છે. આ યુક્તિવાદ કહે છે કે, આપણા વાળ કતરાય છે તો આપણને કાંઈ થતું નથી તેમજ કુલ તેડતાં તેમને કંઈ પણ થતું ન હોવું જોઈએ. ફૂલની વાત તે ઠીક છે; તેમને કાપી નાખે કે ઉખેડી નાખે તે પણ તેમને દુઃખ થતું નથી એવું પણ કેટલાક જણાવે છે. માણસને કલેરફોર્મ સુંધાડી તેનો પગ કાપી નાખવામાં આવે છે કિંવા પેટ ચીરવામાં આવે છે તે તેને જેમ કંઈ દુઃખ થતું નથી તેમજ ઝાંડ વિષે છે. દાક્તર કોકેન લગાડી દાઢ ખેંચી કાઢે છે ત્યારે માણસને દુઃખ ક્યાં થાય છે? કફોર્મ આપીને કેિવા કેન લગાડી ઓપરેશન કરતાં કદાચ જીવ ચાલ્યો જાય છે તે પણ માણસને સુખદુઃખ કંઈ જ થતું નથી; એવી સ્થિતિ ઝાડની કેમ નહિ હોય? રડવું, ચીસ પાડવી વગેરે બાહ્ય ચિહ્ન પરથી સુખદુઃખ સંબંધી કંઈ પણ અનુમાન કારી શકાતું નથી. પ્રસ્તુત લેખકને મૂળ વ્યાધિ માટે ઓપરેશન કરવા કલેરફોર્મ આપવામાં આવ્યું હતું. એ સવા દઢ કલાકમાં દાક્તરે શરીરને શું કર્યું હતું તેનું કંઈ જ ભાન ન હતું, તથાપિ મુખમાંથી ઊંહકારા થયા કરતા હતા. એ ઊંહકારા પરથી કેઈએ દુઃખનું અનુમાન કર્યું હોત તે ભૂલ જ થઈ હોત. એ ઊંહકારાનું લેખકને બિલકુલ સ્મરણ નહોતું. શસ્ત્રપ્રયોગ સમયે બિલકુલ દુ:ખ થયું ન હતું. કારણ તે વખતે કોઈ પ્રકારનું ભાન જ ન હતું. વાયુ જેરમાં વહે છે ત્યારે વાંસના વનમાંથી કિંવા નારિયેળની વાડીમાંથી જેવા અવાજ બહાર આવે છે તેવા જ પ્રકારનું રુદન અથવા ઊંહકારા તે હતા. નિદ્રાનું ધોરણ એવું જ અબાધ હોય છે. ઘરનાર માણસને દુઃખ થતું હોવાનું અનુમાન ભૂલ ભર્યું છે. આ વાત પરથી માણસ વિષે એટલું ખાસ કહી શકાશે કે, ઘા, રક્ત, રૂદન, ઊંહકારા વગેરે બાહ્ય ચિહન પરથી દુઃખનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી અને સુખ વિષે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org