________________
३२०
નીતિશાસ્ત્રપ્રવેશ કંઈ નથી. એનું કારણ એ છે કે, પિતાને અનુકૂલ દ્રવ્ય મેળવી તેને સ્વસ્વરૂપ બનાવવાની શક્તિ કઈ કઈ જડ પદાર્થમાં પણ છે. દાખલા તરીકે પાણીમાં ફટકડીને ભૂકો કરી નાખીશું તે ફટકડી સ્ફટિકતુલ્ય ઘન સ્વરૂપ બનશે અને ફટકડી અને પાણી ભિન્ન થઈ જશે. કેમે કરતાં ફટકડીને સ્ફટિક જેવો આકાર નષ્ટ થતો નથી. હાયડ્રોજન તથા ઓકસીજન વાયુ અને પથ્થર, મોતી, કાચના ટૂકડા વગેરે એક બાટલીમાં ઘાલી તેને વિશિષ્ટ રીતે વિદ્યુત આપવામાં આવશે તે વજનના પ્રમાણમાં ૧૬ ભાગ એક્સીજન તથા ૨ ભાગ હાયડોજનનું જ રસાયનિક મિશ્રણ થશે અને બાકી રહેલ હાયડોજન, એક્સીજન, કાચ, મોતી, પથ્થર જેવાને તેવા રહેશે. અર્થાત જડ વસ્તુને પણ (આલંકારિક ભાષામાં) પસંદગી નાપસંદગી છે અને તે પણ પિતાને જરૂર જેટલું જ અન મેળવી શકે છે. ૧૬ ભાર ઓક્સીજને , ૨ ભાર હાયડોજન જ લીધે અને બાકીને છેડી દીધે—કાચને કુકડા અને મોતી પણ પડી રહેવા દીધાં ! સજીવ વસ્તુની આત્મપોષણ કરવાની શક્તિ ગમે તેટલી વિશેષ ગૂંચવણ ભરી, વિલક્ષણ અને પ્રશંસા કરવા જેવી હશે, પણ રસાયનિક અને સ્ફટિક સ્વરૂપ પદાર્થની (Crystals) શક્તિની તે મોટી બહેન છે, (ભન જાતિની નથી. સમાન બાલે૫ત્તિની બાબત અધિક ગૂંચવણભરી છે પણ એકંદરે જડનું રૂપાંતર છવ છેએમ તાવિક દૃષ્ટિએ પણ કહેવાનો હરકત નથી એવું લાગે છે.
જડટી અને છવકેટી એકજાતીય પદાર્થનાં સ્થિત્યંતર છે કે બે ભિન્ન જાતિ છે. એ વાદ મહત્ત્વનું છે જ, પણ જીવટી અને સુખદુઃખાદિ સંવેદના યુક્ત કોટીને વાદ એથીયે વિશેષ મહત્ત્વ છે. એક વખત જડમાંથી જીવ ઉદ્ભવશે પણ ન્યાયદષ્ટિએ સજીવત્વમાંથી સંવેદન શક્તિ (Sensation) નીકળતી નથી. સંવેદનત્વ નીકળતું હશે પણ સુખદુઃખાત્મક વૃત્તિ (Feeling of Pleasure and Pain ) નીકળતી નથી. ઝાડ માટીમાંથી સ્નિગ્ધ રસ, સુંદર પાલે, સુવાસિક ફૂલ, મધુર ફળ મેળવી શકશે, પણ તેનું ફૂલ તેડવાથી તેને દુઃખ થાય છે કિંવા પાણી પાતાં સંતોષ થાય છે એમ કહેવું તે ન્યાયષ્ટિએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org