________________
વિકાસવાદ અને નીતિશાસ્ત્ર
૩૧૯ લેખકને કંઈ અધિકાર નથી; પણ એટલું કહેવાનો હરક્ત નથી કે, જડમાંથી જીવ ઉત્પન્ન કરી શકાય કે ન કરી શકાય પરંતુ એ બે કેટી એક જ જાતિનાં ભિન્ન સ્વરૂપ કદી પણ ન થઈ શકે એમ લાગતું નથી. જીવ કેટીના વિશિષ્ટ ગુણ એટલે (1) ચતરફની પરિસ્થિતિમાંથી (શક્ય હોય તો), આપણને ઉચિત એવું ખાદ્ય પસંદ કરવાની અને તેને વિશિષ્ટ પ્રકારનું સ્વરૂપ આપવાની શક્તિ; (૨) સ્વજાતિનાં બાળકને જન્મ આપવાની શક્તિ, કૂતરે વિશિષ્ટ પ્રકારનું અન્ન શોધી કાઢે છે અને તે અન્નને પિતાના હાડ, રક્ત, માંસ વગેરેનું સ્વરૂપ આપે છે. ઝાડ પિતાનું ખાઘ અને પેય ભૂમિમાંથી અચૂક ખેંચી કાઢે છે અને તેનું રૂપાંતર કરી પાન, મૂળ, ફૂલ, ફળ તૈયાર કરે છે. માણસ પોતાનું અને શોધી કાઢે છે અને તેનું રૂપાંતર મગજ વગેરેમાં કરે છે. પાણીની જરૂર વૃક્ષ, કૂતરાં અને માણસ એ ત્રણેને હાય છે; પણ પીધેલા પાણીનું રૂપાંતર માત્ર જુદા જુદા પ્રકારે થાય છે. બિલાડીનાં બચ્ચાં દૂધ પર રહે છે અને સાહેબનું બાળક પણ દૂધ પર રહે છે. પરંતુ દૂધનું રૂપાંતર કેટલું ભિન્ન બને છે! એ સર્વ ગુણ સજીવત્વને છે. સર્વ જીવમાં પિતાનું ભક્ષ્ય દૂરથી શોધી લાવવાની શક્તિ નથી હોતી. દાખલા તરીકે બાજરી કિવા ઘઉંના દાણાને વિચાર કરે. એ દાણે ખડક પર પડશે તે સડીને મરી જશે, પણ ભીની જમીનમાં પડશે તે તે પિતાને જરૂરનાં વિશિષ્ટ દ્રવ્ય તે જમીન તથા પાણીમાંથી મેળવી લઈ તેનું પોતાના સ્વભાવનુરૂપ રૂપાંતર કરવાની શક્તિ બતાવી આપશે. વૃક્ષો કાર્બન વાયુને આહાર કરી તેનાં પાન અને ફળ બનાવે છે; માણસ એ પાન કિંવા ફળ – પરંપરાએ કાર્બન – ને આહાર કરી શરીરને આવશ્યક એવી ઉષ્ણતા મેળવે છે. એ કાર્ય કરવાની શક્તિ જડ પદાર્થમાં નથી. ખડક પર પાણી પડે છે તે તે પાણી જ રહે છે, સૂકા લાકડા પર પડે છે કિંવા કાચ પર પડે છે તે પણ પાણી જ રહે છે. તે લાકડું કે કાચ બની જતું નથી. જડ અને જીવને આ ભેદ વ્યવહારદષ્ટિએ અત્યંત મહત્ત્વનું છે પરંતુ તાત્વિક દૃષ્ટિએ એ ભેદથી જડ અને જીવને અત્યંત ભિન્ન જાતિ કે કેટીનાં માનવાં જ જોઈએ એમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org