________________
૩૧૦
નીતિશાસ્ત્ર પ્રવેશ જવાબમાં કહી શકાશે કે, સતત ઉત્પન્ન થનાર ભિન્ન ગુણ અને એ ભિન્ન ગુણના સુસંગત એકીકરણનું એ પરિણામ છે. વિકાસવાદીઓ વસ્તુમાં ભેદ ઉપન કેમ થાય છે તે કહી શકતા નથી. તેઓ કહે છે કે જે પ્રવૃત્તિ છે એટલું માત્ર નિર્વિવાદિત છે. પ્રથમ નિગુણ, નિરાકાર, નિરહંકાર, અતાત્મક બ્રહ્મ હતું; પછી તેને ઘોડદું વટુ ચા, હું સગુણ–અનેકવિધ થઈશ, એવી છે થઈ એવું આપણું શાસ્ત્રોમાં વર્ણન છે. તેમાં એ નિર્ગુણ બ્રહ્મને બહુ થવાની ઈચ્છા થવાનું કારણ જણાવેલું નથી. એ જ પ્રમાણે સ્પેન્સર વગેરે શાસ્ત્રજ્ઞો એ એકધમીય, અદશ્ય, વાયુ–સંદરા, અનિશ્ચિત સ્વરૂપ, અસંગત, પદાર્થમાં ભેદપ્રવૃત્તિ કેમ અને કે રીતે ઉત્પન્ન થઈ તે કહી શકતા નથી. જે બન્યું છે તે સિદ્ધ છે.
એ પદાર્થમાં ભિન્ન ગુણ ઉત્પન્ન થયા અને પછી પાક કિંવા આત્મરક્ષણસમર્થ અને અન્યાશ્રયી ગુરુ જેમાં હતા તે પદાર્થ ઠક્યા અને અન્યને નાશ થયે એટલે તે ભિન્ન આકાર તથા સ્વરૂપ ધારણ કરવા લાગ્યા. એમ કરતાં કરતાં મૂળભૂત વાયુ–સદશ પદાર્થને કલાત્મક અથવા જડ સ્વરૂપે પ્રાપ્ત થયું. જડમાંથી જીવ ઉત્પન્ન થયા અને જીવમાંથી મનુષ્યની ઉત્પત્તિ
કામિક ભેદવૃદ્ધિ ઘણી જ વ્યાપક બને છે અને નવી જાતિ નિર્માણ થાય છે. મંડૂક-સ્તુતિવાદી (Mutationists) કહે છે કે નવીન જાતિ કદી કદી અચાનક ઉત્પન્ન થાય છે.
Evolution is "a change from an indefinite incoherent homogeneity to a definite, coherent heterogeneity, through continuous differentiations and integrations." Spencer, ‘Data of Ethics' Ch. V.
જડ વસ્તુના વિકાસ વિષે સ્પેન્સરનું નિમ્ન સૂત્ર અધિક સુબોધ છે.
"Evolution is an integration of matter and concomitant dissipation of motion; during which the matter passes from a relatively indefinite incoherent homogeneity to a relatively definite, coherent heterogoneity; and during which the retained motion undergoes a paralle? transformation."
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org