SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાસવાદ અને નીતિશાસ્ત્ર પ્રાણીવર્ગ અને વનસ્પતિવર્ગમાં ભિન્ન ભિન્ન જાતિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે વિષે પુષ્કળ માહિતી મેળવી; અને એ માહિતીના આધારે પ્રાણીઓમાં કિવા વનસ્પતિમાં ભિન્ન જણાતી જાતિઓનાં કુળની પૂર્વ પરંપરા તપાસી, તેમના મૂલભૂત પૂર્વજ એક જ જાતિના હતા એમ માનવાને આધાર હોવાનું સિદ્ધ કર્યું. ડાવીને જે પુરા મેળવ્યા હતા તે મહત્વનું હતું, તેવી જ રીતે જાતિની ઉત્પત્તિ કયા કારણથી થાય છે એ વિષયનું તેનું વિવેચન અતિ મનનીય હતું. સ્પેન્સરે એ તત્ત્વ માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર વગેરેને લાગુ પાડયું અને હવે તે એવી કોઈ પણ સંસ્થા, રીત કે વસ્તુ નથી કે જેની ઉત્ક્રાંતિ માટે કઈ પણ બોલતું ન હોય. ભાષાની ઉત્ક્રાંતિ, લગ્નની પ્રથાની ઉત્ક્રાંતિ, " પાકની ઉત્ક્રાંતિ, ભજનવિધિની ઉત્ક્રાંતિ – અને છેવટે ઉત્ક્રાંતિવાદની ઉત્ક્રાંતિ ! ગમે ત્યાં જાઓ તો પણ ઉત્ક્રાંતિતત્ત્વ આવવું જ જેએ, તે સિવાય કોઈ પણ વિવેચનને પ્રૌઢતા અને સવારપર પૂર્ણતા પ્રાપ્ત થતી નથી! અસ્તુ. વિકાસવાદનાં સર્વવ્યાપી સુત્ર આ પ્રમાણે છે:–“કઈ પણ બાબતની પ્રથમાવસ્થામાં તેનાં અંગ અથવા તેના અવય સમાનધમી (Homogeneous) હોય છે. તેમાંના ભેદ અસ્પષ્ટ (અથવા અનિશ્ચિત) હોય છે અને તેમાં સુસંગતત્ત્વ (કિવા અન્યાય) નથી હોતો, પણ તેને વિકાસ થવા લાગે છે એટલે તેના અવયવો ભિન્નધમ અથવા વિજાતીય ( Heterogeneous) બને છે, તેમાંના ભેદ સુસ્પષ્ટ થાય છે અને તે અધિક પરસ્પરાવલંબી (અથવા અન્યાશ્રયી અથવા સુસંગત) બને છે. આ અવસ્થાતર તેને એકદમ પ્રાપ્ત થતું નથી. ક્રમે ક્રમે ધીમે ધીમે પ્રાપ્ત થાય છે. અને એમ શી રીતે બને છે એ પ્રશ્નના *હાલના દા. ત્રાઈઝ (De Vries) વગેરે વિકાસવાદીને આ મત માન્ય નથી. તેઓ કહે છે કે ભેદ કેવળ ધીમે ધીમે ઉત્પન્ન થતા નથી. તે તે અચાનક ઉત્પન્ન થાય છે. તે મંક-સ્તુતિ જેવા હોય છે. ભેદ ઉત્પન્ન થવાનું કારણ કેઈ પણ કહી શકતું નથી. “ભેદ ઉત્પન્ન થાય છે” એટલું માત્ર સર્વ સ્વીકારે છે. પુરાતન સંપ્રદાયના વિકાસવાદી કહે છે કે એ ભેદ ધીમે ધીમે પણ અખલિતપણે વધતા જાય છે એટલે કાળાંતરે એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy