SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ નાંતશાસ્ત્રપ્રવેશ નાવ કાઈ પણ દિશાએ હેતુ વિન! નથી જતું, એ વિચારી લે!કાને અતિ શાંતિ આપે છે એમાં કઈ નવાઈ જેવું નથી. માસ જગતને બહેકી નહિ જવા દેનાર અને સની ઉચ્ચ મનત્તિનું મૂલ્ય આપનાર ઈશ્વરને ઇચ્છે છે અને તેથી જ તે માને છે કે ઈશ્વર છે.' માણસને શ્વરની જરૂર હાય છે તેથી તે કંઈ પણ યુક્તિવાદ કરી તેનું અસ્તિત્વ સિદ્ધ કરવા મથે છે.એ યુક્તિવાદ અતિચિકિત્સકના મનનું સમાધાન કરી શકશે નથી; પરંતુ જે વસ્તુની આપણુને જરૂર હેાય છે તેને અનુકૂલ યુક્તિવાદ આપણને સામાન્યતઃ પ્રિય અને ખરા લાગે છે. ઈશ્વરના અસ્તિત્વની માફક જ આત્માના અમરત્વનું છે. આપણે મરણ પામ્યા પછી આપણું કંઇ પણ પાછળ રહેવાનું નથી, આપણા મૃત્યુ પામેલા પુત્રની, પુત્રીની, સ્ત્રીની, માતાની, મિત્રની કદી પણ ભેટ થવાન નથી એ વિચાર સામાન્ય માણસને માટે અસહ્ય છે. તેવી જ રીતે આજ સુધી નૈતિક ઉન્નતિ માટે જે પ્રયત્ન કર્યાં છે તે સત્ર મરણ પામ્યા પછી ઊંધા ધડા પર પાણી ઢોળ્યા જેવા છે એ વિચાર પણ માણસની નૈતિક આકાંક્ષાને ગમતા નથી; અને તૈયા જ આત્માનું અમરત્વ સિદ્દ થતું હાય તે! માણસને તેની જરૂર છે અને યુક્તિવાદથી એ સિદ્ધ કરવાના પ્રયત્ન ચાલ્યા કરે છે. પરંતુ એ પ્રયત્ન સફળ થતા નથી. છતાંયે માણસ આત્માનું અમરત્વ ત્યજવાને તૈયાર નથી. એનું કારણ એ જ છે કે, તેની સહૃદયતા અને નૈતિક આકાંક્ષાને તે સમાધાન આપતું હોય છે અને તેય તેને તેની આવશ્યકતા જણાય છે. જે નીતિશાસ્ત્રને આવશ્યક જણાય છે તે આધિભૌતિક શાસ્ત્રને ખાટું લાગે છે. ત્યારે ખરું શું સમજવું? શાસ્ત્ર કરતાં રૂઢિ બળવાન છે, તે પ્રમાણ આધિભૌતિક શાસ્ત્ર અને નીતિશાસ્ત્રમાં વિરોધ હોય તો કયું શાસ્ત્ર અળવાનું સમજવું ? · સત્ય' એટલે શું, તેના નિય પ્રથમ કરવે! પડશે. આ પ્રશ્નતા ઊહાપાહ કરતાં કરતાં છેવટે કબૂલ કરવું પડે છે કે જેના યેગથી માણુનના આત્માનું પૂર્ણ સમાધાન થાય તે પૂર્ણ સત્ય અને જેથી આત્માના એકાંગનું જ સમાધાન થાય તે એકાંગી સત્ય. કરી દૃષ્ટિએ પડયા પછી તે ખાવા જેવી છે એ કલ્પના સત્ય છે; પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy