________________
નીતિશાસ્ત્ર પ્રવેશ હોત? સમાજસુધારાની કોઈ પણ વાત અવલે કે. તે સૃષ્ટિક્રમને કોઈ પણ બાબતમાં અટકાવે છે અને તેથી જ તે “સુધારે' ઠરે છે. સૃષ્ટિક્રમને સ્વેચ્છાચારી ન બનવા દે – તેનું નિયમન કરવું –એનું જ નામ સુધારે. દાખલા તરીકે, સૃષ્ટિમાં સ્ત્રીપુરુષ વિષયક સ્વછંદતા છે. માણસે લગ્નસંસ્થા યોજીને એ સ્વછંદતાને મર્યાદિત બનાવી. સુષ્ટિમાં એવો નિયમ છે કે જેને જે મળે તે શ્રી લેવું. માણસે અમુકનું ધન, તમુકનું વન ઠરાવી પ્રવૃત્તિનું નિયમન કર્યું. સૃષ્ટિ કહે છે “અશક્તને મારીને ખાઈ નાખો અને પુષ્ટ બને.' માણસે નીતિમત્તાથી એ નિયમ બદલી કહ્યું કે,
ગરીબ અને અશક્ત પર દયા રાખો, જાતે કષ્ટ સહે પણ અન્યને દુઃખી ન કરે.' નીતિનાં આવાં બંધને તેડી નાખી જો કોઈ સ્વદે વિહાર કરવા દે તે એક ક્ષણમાં સમાજ માં એટલી વિલક્ષણ ક્રાંતિ થઈ જાય કે એ જગતને આપણે ઓળખી પણ ન શકીએ.
નીતિનિયમ અને સૃષ્ટિનિયમમાં આ શાશ્વત વિરોધ છે. અને સત્ય હોય તે વિરોધ પરિહાર કેવી રીતે કરે ? ઉભયમાંથી કોઈ પણ એક નિયમ ખરે હોય તે ક ખરે? નૈતિક કે સૃષ્ટિશાસ્ત્રનો ?
આ પ્રશ્નને નિર્ણય કરતા પહેલાં એક બે વાતનો ખુલાસો કરવાની જરૂર છે. “નીતિ કહે છે કે, ઈશ્વરનું અસ્તિત્વ, આત્માનું અમરત્વ વગેરે વાત ખરી માનવી જ જોઈએ,’ એવા અર્થનું ઉપર જે વિધાન કર્યું છે તે પૂર્ણ રીતે યથાર્થ નથી. કેટલાક આમાનું અમરત્વ માનતા નથી અને નિરીશ્વરવાદી પણ હોય છે, પરંતુ તે કંઈ અનીતિમાન જ નથી હોતા. મારા પ્રેમનું, નીતિનું, આત્મયજ્ઞનું, કતૃત્વનું કે ગમે તેનું કોઈને જ્ઞાન છે કે ન હેત કે ઈ પ્રશંસા કરે કે ન કરે, કેઈના આત્માને સંતોષ થાઓ કે ન થાઓ, મારે આત્મા ઘણા દિવસ રહે કે ન રહે, ભવિષ્યમાં સર્વત્ર અંધકાર, જડત્વ, જ્ઞાનશૂન્યત્વ વગેરેનું સામ્રાજ્ય પ્રવર્તે કે ન પ્રવતો – હું તે મારું કર્તવ્ય બજાવીશ, એમ કહેનાર અને તે પ્રમાણે વર્તનાર ધીર પુરુષ જગતમાં અસંભવિત નથી. પરંતુ એ વૃત્તિ અતિ કઠિન છે. અસાધારણ માણસને જ સાધ્ય બને તેવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org