________________
નૈતિક ગૃહીત સિદ્ધાંત અને તાર્કિક પુરાવા ર૯૯ સર્વિચાર અને સદ્દભાવનાની નેધ લેવાશે અને આત્માને પોતાના આચારવિચારનું સ્મરણ થયા પછી ઉચ્ચતમ સાત્વિક આનંદ મળશે, એવી પ્રત્યેકને આશા હોય છે. આપણે કહીએ છીએ કે, ડાબા હાથને ઉપકાર જમણું હાથને જાણવા ન દઈશ; અર્થાત ઉપકારનું કાર્ય ગુપ્તપણે કરવું અને આપણે એ રીતે ઉપકાર કરીએ પણ છીએ. પરંતુ આપણું મન જાણનાર જગતમાં કઈ જ નથી, ઈશ્વર નથી, જેના પર ઉપકાર કરવામાં આવ્યો હોય તેને મરણ પછી સ્વર્ગમાં તે ઉપકાર સમજાશે નહિ, આપણું મિત્રમંડળ પણ તે જાણી શકે નહિ, અરે આપણને પિતાને
સ્મરણ રહેવાનું નથી એવી કલ્પના મનશ્વધુ સમીપ દઢ રાખીએ તો ઉપકાર કરવાની પ્રવૃત્તિ કિંચિત શિથિલ અને નિર્બળ બન્યા સિવાય રહે નહિ. પરંતુ સૃષ્ટિશાસ્ત્રનો નિર્ણય ખરો માનીએ તો કબૂલ કરવું પડે છે કે જગતના અંત સમયે એવી ભયાનક સ્થિતિ થવાની છે.
ત્યારે સૃષ્ટિશાસ્ત્રની દષ્ટિ ખરી માનવી કે નૈતિક આકાંક્ષા ખરી માનવી? નીતિ કહે છે કે, જગતના નાટકનો છેવટને અંક આનંદપર્યવસાયી બનશે, પ્રેમી જનનું ભવિષ્યમાં ગમે તે સમયે મિલન થશે, અંતસ્થ મને વૃત્તિની કિંમત કરનાર કોઈ પણ એક આત્મા– ઈશ્વરને આત્મા અને જગતમાં રહેશે જ રહેશે; પણ તેને પુરા શો? પુરાવો કંઈ નથી. સુષ્ટિશાસ્ત્ર કહે છે કે, નીતિની આ આકાંક્ષા – આશા-ઇચ્છા છે તે ખરી નથી. નીતિ કહે છે કે, “આ વાત શાસ્ત્રથી પર છે માટે એ સંબંધમાં એનું કંઈ પણ સાંભળવું નહિ.” આમાં કોના કથનમાં કેટલે સુધી નય છે ?
સૃષ્ટિશાસ્ત્રની દૃષ્ટિ અને નીતિશાસ્ત્રની દૃષ્ટિ વચ્ચેનો વિરોધ અન્ય રીતે બતાવી શકાશે. આધુનિક સૃષ્ટિશાસ્ત્રમાં વિકાસવાદ (Evolution) નું ઘણું જ મહત્ત્વ છે. વિકાસવાદની દૃષ્ટિએ જોઈએ છીએ તે કહેવું પડે છે કે, સૃષ્ટિદેવ જેવો અન્યાયી, નિર્દય, અનીતિમાન બીજે કોઈ દેવ જ નથી. સૃષ્ટિમાં અખલિત કલહ ચાલ્યા કરે છે અને એ કલહમાં જે તે પિતાને જીવ બચાવવા પ્રયત્ન કરે છે. નાના માછલાને મેટું માછલું ગળી જાય છે એ સૃષ્ટિક્રમ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org