________________
નૈતિક ગૃહીત સિદ્ધાંત અને તાર્કિક પુરાવા ૨૯૫ આત્મપ્રતીતિ થાય છે, વર્તનમાં જે નિશ્ચયાત્મકતા આવે છે તે સર્વ અયવાદી, અનિશ્ચયી, અર્ધદગ્ધ કિંવા છૂટછાટ મૂકનારાઓને પ્રાપ્ત થવી શક્ય નથી હોતી. નાસ્તિકોમાં આ ગુણ ઘણી વાર નજરે પડે છે, પણ તેમનું તે નાસ્તિક્ય પૂર્ણ અને એકાંતિક હોવું જોઈએ. અર્ધદગ્ધ હોય તે કંઈ ઉપયોગમાં નથી આવી શકતું. ઈશ્વરના અસ્તિત્વ વિષે જે કહેવામાં આવ્યું છે તે જ આત્માના અમરત્વ વિષે સત્ય છે.
આ તત્ત્વ પર શ્રદ્ધા હોવી એ ગમે તેટલું આનંદદાયક અને ઉપયોગી હોય તો પણ શ્રદ્ધા કંઈ આપણા હાથની વાત નથી. કેઈને શ્રદ્ધા હોય તો ઘણું સારું, પણ ન હોય તે? અશ્રદ્ધાવાન પાસે એ તત્ત્વ સત્ય છે એમ યુતિવાદથી કબૂલ કરાવી શકાશે કે ?
કહેવામાં આવે છે કે ઈશ્વર અનાદિ અને અનંત છે, ઈશ્વરના અસ્તિત્વ વિષેને વાદ પણ અનાદિ અને અનંત જણાય છે. “ઘટ છે માટે ઘટને કત હોવો જ જોઈએ” તે પ્રમાણે “જગત છે માટે જગતકર્તા હોવો જ જોઈએ એવા એવા અનેક યુક્તિવાદ ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવા ઈચ્છનારાઓએ કાઢયા છે, પરંતુ ગમે તેટલું વાકપાંડિત્ય કરવામાં આવે તે પણ જેમ આત્મપ્રાપ્તિ નજીકમાં આવતી નથી તેમ આ યુતિવાદે ઈશ્વરના અસ્તિત્વની સિદ્ધિ જરીક નજીકમાં આણી નથી. “ઘટ છે માટે ઘટકર્તા હેવો જોઈએ, એવા પ્રકારના યુક્તિવાદ પર નાસ્તિકોની કેટી ઠરેલી જ છે. નાસ્તિક સ્વીકારે છે કે, “કાર્ય પરથી કારણનું અનુમાન કરી શકાય” પણ “ઈશ્વરને માટેય ગમે તે કારણ હોવું જોઈએ. નાનામાં નાની શુદ્ર વસ્તુ – ઘાસની સળી પણ – અકારણ ઉત્પન્ન થતી નથી એ જ્યારે ખરું છે, ત્યારે ઈશ્વર જેવી ઉચ્ચ – અનંત ગુણાત્મક – વસ્તુ કારણ સિવાય કેમ ઉત્પન્ન થાય?” અસ્તુ. ઈશ્વરના અસ્તિત્વ વિષેના વાદમાં ઊંડે જવાનું અહીં કંઈ કારણ નથી; પણ એ વિષે ગમે તે કોટીક્રમ લગાડતાં તેની વિરુદ્ધને પક્ષ સામે બીજો કોટીક્રમ ઊભું કરે છે જ.
ત્યારે યુક્તિવાદથી આત્માનું અમરત્વ સિદ્ધ કરી શકાય છે ક? ના. આત્મા અચ્છેદ્ય, અદાહ્ય, અક્ષેદ્ય, અશેષ્ય, નિત્ય છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org