SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ નૈતિક ગૃહીત સિદ્ધાંત અને તાર્કિક પુરાવા મનુષ્યને આત્મસ્વાતંત્ર્ય છે; ન્યાયી, દીનદયાળ, સજજનને સહાયક એવો પ્રભુ જગતને ચાલક છે; આત્મા અજર તથા અમર છે; જગતમાં ભવિષ્યમાં થનારી વાત અગાઉથી નિશ્ચિત થયેલી નથી, પણ જગતને ઓછુંવતું સૌંદર્યવાન બનાવવું કિવા શાણું કે નીતિ પર બનાવવું તે કેટલાક અંશે આપણા હાથમાં છે.” એ અને એવાં જ તત્ત્વ માન્ય કરવાનું નીતિની દૃષ્ટિએ આવશ્યક છે કે? આવશ્યક હોય તેની સત્યતા વિષે પુરા શે? કે પછી પુરાવો ન હોય તે સત્યત્વને ગૃહીત ગણીને જ ચાલવું કે કેમ? - ઈશ્વરનું અસ્તિત્વ, આત્માનું સ્વાતંત્ર્ય અને અમરત્વ એ તો ખરાં માનીએ તો સામાન્યપણે માનવાને હરકત નથી કે, માણસની નીતિને સબળ આધાર મળવા જેવું થઈ તે અન્ય પ્રસંગ કરતાં અધિક ઉસાહપૂર્ણ, શાંત અને તેજસ્વી બને છે. નિરીશ્વરવાદી અનીતિમાન હોય છે એવું કંઈ નથી; પરંતુ ઈશ્વર પર જે – શાબ્દિક નહિ – નિછા હોય છે તે માણસને જે શાંતિ મળે છે, જે આનંદ અને ઉલ્લસિત વૃત્તિ પ્રાપ્ત થાય છે, જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy