________________
નીતિને દેહ અને નીતિને આત્મા ૨૬૩ માટે પ્રયત્ન કરે એ નીતિને આત્મા છે. એ કલ્યાણસાધનાના સામાન્ય માર્ગ નિયત થયેલા છે, પણ મારકણે સાં આપણા પર ધસી આવતું હોય છે તો ચાર પગલાં પાછા હઠવું પડે છે, તે જ પ્રમાણે કવચિત પ્રસંગે નીતિના સામાન્ય માર્ગ યે જવાની જરૂર હોય છે. તે પણ ધ્યાનમાં રાખવું કે નીતિને રાજમાર્ગ એકદમ માઈએ છોડવો ન જોઈએ. દાખલા તરીકે પ્રત્યેકે મોટું નહિ બલવાને નિશ્ચય કરી તે પ્રમાણે વર્તન કરવા પ્રયત્ન રાખવું જોઈએ. એ નિયમને અપવાદ લાગુ પાડવાને મેહ ઘણી વાર થાય છે પણ મનને વશ રાખવું જોઈએ. “ખરું બોલવાથી કંઈ લાભ નથી, ઊલટું નુકસાન જ છે. ઐહિક તે ડાં પણ પારમાર્થિક હાનિય છે” એમ ઘણી વાર આપણું મન કહીને આપણને ફસાવે છે. એ આત્મવંચનાના ભોગ થઈ પડવાને સંભવ હોય છે. પિતાને હાથે જ પિતાના ખીસાની વસ્તુ ચોરી લે ત્યારે માણસ શું કરે ? તેવી જ રીતે ને આપણું મન જ ડહાપણું અને સદાચારપ્રીતિને ઢાંગ કરી આપણને ફસાવવા લાગે અને આ પ્રસંગે ખેટું બોલવું ઉચિત છે, શાણપણ છે, સદાચાર છે” એવું એવું શીખવે તે પ્રસંગે નહિ ફસાનાર ઘણા જ ઘેડ હેય છે. માટે સામાન્ય નીતિનિયમ ત્યજવાને મોહ થવા લાગે તે મનની ખબર લઈ નાખી તેના કથનમાં સ્વાર્થ કેટલું છે અને પરમાર્થ કેટલે છે તેને બરાબર નિર્ણય કરી યોગ્ય લાગે તે કરવું એ હિતાવહ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org