________________
ર૦૦
નીતિશાસ્ત્ર પ્રવેશ પૈસા આપવામાં કંઈ બેટું નથી. પણ અન્યને પૈસા આપવા કરતાં તેમની અડચણો શી છે તેની તપાસ કરી તેને સ્વકષ્ટથી ઉપજીવિકા મેળવવાને યોગ્ય બનાવવા તે અધિક શ્રેયસ્કર છે. ભિખારી દુરાચારી હોય તો તેને પૈસા આપવાને બદલે કંઈ પણ નહિ આપવા કહેવું અને તેવી વ્યવસ્થા કરવી એ જ તેના પર ઉપકાર છે; માત્ર દાતાની ઇચ્છા તેનું ભલું કરવાની હોવી જોઈએ. દારૂડિયાને દ્રવ્ય આપવામાં ઉપકાર રહેલો નથી. અપકાર છે. હા, દારૂડિયે દારૂ પી છકી ગયા હોય અને ગટરમાં પડ્યો હોય તે તેને ત્યાંથી ઊંચકી તેને ઘેર કે દવાખાનામાં પહોંચાડવો એ આપણું કર્તવ્ય છે; કેમકે તે વખતે તે એવી સ્થિતિમાં હોય છે કે ત્યાંથી જે તેને ઊંચકવામાં ન આવે તે તેની પ્રકૃતિને હમેશની હાનિ થઈ તે મૃત્યુવશ થવાનો સંભવ હોય છે.
કેટલાક પાલક બાળકને શાળાને અભ્યાસ કરવાના કાર્યમાં જરૂર કરતાં વિશેષ મદદ આપે છે, તે આ દૃષ્ટિએ અપાયકારક છે. તે પોપકારબુદ્ધિ કરતાં પ્રેમબુદ્ધિથી આ કાર્ય કરતા હોય છે; પર તુ બુદ્ધિ ગમે તેવી હોવા છતાં સલ્લુનો આત્મા એક હોઈ જ્ઞાન અને અનુભવના અનુરોધથી સગુણને દેહ કેવી રીતે બદલાય છે તેનું આ ઉપરના જેવું જ દષ્ટાંત છે તેથી આપ્યું છે. સમજુ પિતા પોતાના પુત્રને ગણિત ગણવાની રીત કહેતો નથી: તેને જ પ્રયત્ન કરી શોધી કાઢવાના માર્ગે મૂકે છે. તેને દાખલ તરત કરી આપે છે તેના પર ઉપકાર નથી એમ તે જાણતો હોય છે, પરંતુ કેટલાંક માતાપિતામાં એટલી સમજ હોતી નથી. કેટલાક પાલક પોતાનાં બાળક તરફ બિલકુલ લક્ષ આપતા નથી, પણ એ દુર્લક્ષ કરનારા પાલક પ્રેમથી નિરર્થક સહાય આપનાર કરતાં સારા છે એમ કદી કદી લાગે છે.
વૈર્યની વ્યાખ્યા કરવાનું કામ કઠિન છે. સાધારણ માણસ જે વાતથી ભય પામે છે પણ જે વાતથી ભય પામ એ યોગ્ય નથી તે વાતથી ભય ન પામવો તેનું નામ જે વાત ભય પામવા યોગ્ય છે તે વાતથી ભય પામ એને કોઈ બીકણપણું કહેતું નથી. પાટા પર ઍન્જિન વેગથી ચાલી આવતું હોય તેવા પ્રસંગે પાટા પર ઊભા રહેવું તે વૈર્ય નહિ પણ મૂર્ખતા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org