________________
નીતિને દેહ અને નીતિને આત્મા ૨૮૯ રૂઢિ દ્વારા નીતિની ઉન્નતિનું માપ કેવી રીતે લઈ શકાય છે, રાષ્ટ્રની નૈતિક સંસ્થા અને રીતરિવાજને નવું વલણ કેમ કેવી રીતે પ્રાપ્ત થાય છે, આત્મા અધિક વિકાસ પામે છે ત્યારે પૂર્વને રીતરિવાજ કેવા સંકુચિત લાગે છે, આ કારણથી કિંવા પરિસ્થિતિ બદલાયાથી રીતરિવાજમાં પરિવર્તન કરવાનું કાર્ય અનીતિરૂપ ન બનતાં નીતિદષ્ટિએ કેમ આવશ્યક હોય છે વગેરે સુજ્ઞ વાચકના ધ્યાનમાં આવશે જ.
ભાવાર્થ વિશે સ્પષ્ટ કરવા માટે વૈર્ય, સત્યતા, પરોપકારબુદ્ધિ વગેરે સદ્દગુણને થોડે વિચાર કરી નીતિને આત્મા કાળસ્થળ-ભેદથી ભિન્ન દેહ અને ભિન્ન વસ્ત્ર કેવી રીતે ધારણ કરે છે અને તેને વિકાસ કેમ થાય છે તે આપણે જોઈશું.
પ્રથમ પરોપકાર બુદ્ધિનો વિચાર કરીશું. અન્ય માણસ દુઃખમાં કે સંકટમાં હોય તે વખતે તેને દુઃખમુક્ત કિંવા સંકટમુક્ત થવામાં સહાય કરવી તેનું નામ પરોપકારબુદ્ધિ. સાધારણ માણસ એમ સમજે છે કે, કોઈ માણસ પૈસાની અડચણમાં હોય તે તેને પૈસા આપવા એ પરોપકાર છે. ઘેરઘેર ફરનાર ટહેલિયા, ભિખારી, વિદ્યા વગેરેને જેની તેની ગ્યતાને અનુસરી પણ છૂટા હાથે પૈસા આપનાર માણસને આપણે ઉદાર કિંવા દાનશૂર કહીએ છીએ. પૈસા આપવા એ પોપકાર છે જ; પણ માણસનું જ્ઞાન અને અનુભવ વૃદ્ધગત થયા પછી એવું જણાવા લાગે છે કે અવિચારથી દાનધમ કરવો તે પરોપકાર નથી. ઊલટું પર-અપકાર છે. દાખલા તરીકે દાન લેશે છે ૨ પાત્ર જ નથી હોતું તે અસાત્ત્વિક બને છે એમ ભગવદ્ગીતામાં કહ્યું છે તેનું વાચકને આ સ્થાને સમરણ થયા સિવાય નહિ રહે. ભિખારીને ભીખ આપવી તે એક રીતે ભીખ માગવાને ધ ધાને ઉત્તેજન આપવા જેવું હોવાનો વિચાર કરી કેટલાક ભિખારીને બિલકુલ ભીખ આપતા નથી. તેમનું કહેવું એવું હોય છે કે પૈસા આપવા એ કંઈ ખરે પરોપકાર નથી; પણ યાચના કરીને પિસા મેળવવાની જરૂર રહે નહિ એવા પ્રકારની સહાય આપવી તે પરોપકાર છે. આ વાત ખરી છે. જે અંધ, પંગુ, દુર્બળ હોય અને જેમને માટે કદી પણ શારીરિક શ્રમથી ઉપજીવિકા મેળવવાનું સંભવિત નથી તેમને १९
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org