________________
૨૮૮
નીતિશાસ્ત્ર પ્રવેશ કરે છે. જે દેશના લોકોમાં દેશાભિમાન વિશેષ હોય છે તે દેશમાં સામાજિક, રાજકીય, ઔદ્યોગિક વગેરે ઉન્નતિ કરનારી સંસ્થાઓ વિશેષ ઉપન્ન થાય છે. જે દેશના લેકે નૈતિક દષ્ટિએ અધોગતિ પામતા જાય છે તે દેશમાં અધોગતિએ પહોંચાડનારી સંસ્થાઓ ઉત્પન્ન થાય છે. ગમે તે દેશમાં જાઓ; કોઈ પણ સંસ્થા, રૂઢિ કે રિવાજ કંઈ આકાશમાંથી બરફ કે વિદ્યુતની માફક ઊતરી આવતાં નથી. એ સંસ્થા કે રિવાજ એટલે તે દેશના વિશિષ્ટ લોકોએ પિતાની સવડ માટે બનાવેલાં ગૃહ છે. તેમને પિતાના અવ્યક્ત આત્માને વ્યક્ત સ્વરૂપ આપવાનું હોય છે અને એ સંસ્થા તથા રિવાજ દ્વારા તે પિતાનું કાર્ય સાધી લે છે. તેમનો આત્મા વિકસિત થયો – એટલે તેમનું જ્ઞાન વધ્યું, સાત્ત્વિકતા વૃદ્ધિગત થઈ આકાંક્ષા ઉચ્ચતર થાય છે એટલે પૂર્વનાં ઘર નીચાં કિંવા ગલીચ કિંવા સગવડ વિનાનાં લાગે છે અને પછી તે બીને ઘર બાંધવા માંડે છે. પ્રથમનાં ઘર તે એકદમ સહેલાઈથી ત્યજી શકતા નથી. આરંભમાં તે ઘરને દુરસ્ત કરી કામ ચલાવી લે છે અને પછી ઘણું જ અડચણ જણાય છે ત્યારે બીજું ઘર બાંધવાની શરૂઆત કરી એક દિવસે જૂના ઘરમાંથી નીકળી કે પણ સ્થળે મુકામ કરે છે અને થોડા જ વખતમાં હમેશને માટે અન્યત્ર સ્થાન પ્રાપ્ત કરી લે છે. ઉપમા બદલીને કહી શકાશે કે, જીણું વસ્ત્ર ત્યજી દઈ તે નવીન વસ્ત્ર ધારણ કરે છે. કિવા કહી શકાશે કે જીણું દેહ ત્યજી આત્મા નવીન દેહમાં પ્રવેશે છે.
પ્રથમ જણાવેલું જ છે કે, નીતિ આત્માનું મુખ્ય અંગ છે. આ નીતિ કર્તાની બુદ્ધિ પરથી ઠરાવવાની હોય છે; કમ પરથી નહિ. અને તથાપિ બુદ્ધિ હૃદયના ખૂણામાં રાત દિવસ સઈ રહેતી નથી પણ આપણું અને સમાજના વર્તન પર અમલ ચલાવી ઇછિત સવડ મેળવી લે છે. ઉપરના વિવેચન પરથી ધ્યાનમાં આવશે કે, સમાજ કિવા રાષ્ટ્રની વ્યાપક સંસ્થા, કિવા તેના અંગભૂત રહેતા વિશિષ્ટ કાયદા, નિયમ, રૂટિ વગેરેને નૈતિક બુદ્ધિ સાથે નિકટ સંબંધ છે, એટલું જ નહિ પણ તે એકવ હેઈ અંતરંગ અને બાહ્યાંગ, અથવા આત્મા અને દેહ જેવા સંબંધમાં છે. આ તત્ત્વ સમજાશે એટલે રાષ્ટ્રની સંસ્થા અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org