________________
નીતિશાસ્ત્ર પ્રવેશ જ કંઈ આપણું આત્માનું અંગ નથી. તેને કામવાસનાથી કેટલી ઊંચી એવી વાત પ્રિય છે. એકાદ દેવ કહે કે, “તને પશુની માફક કામાચાર કરવાની પરવાનગી આપું છું; પણ ધ્યાનમાં રાખજે કે તારે તારી વિદ્યા, મૈત્રી, દેશાભિમાન, માતૃપ્રેમ, બાલકપ્રેમ, ધર્મપ્રેમ, નીતિપ્રેમ, સંગીત, ચિત્રકળા, બાગબગીચા વગેરે સર્વ સુધારણાથી વિમુખ થવું જોઈશે; તે વિચારી માણસ તરત જ કહેશે કે તારી પરવાનગી તારી પાસે રાખ, અમારાં લગ્નબંધન જ ભલાં છે
લગ્નસંસ્થા આત્મોન્નતિ માટે ઉપયોગી છે એ તત્ત્વ નિયત થાય છે પણ લગ્ન કોણે કરવું, કયારે કરવું, પુનર્લગ્ન કરવું કે નહિ વગેરે પ્રશ્નોને નિર્ણય થતું નથી, પરંતુ એ તત્ત્વ ધ્યાનમાં રાખ્યાથી એ પ્રશ્નના નિર્ણય કરવામાં કઈ મુખ્ય વાતોને વિચાર કરવાની જરૂર રહે છે તે તરફ દુર્લક્ષ રહેશે નહિ, ધારે કે આખી પૃથ્વી પર મચી રહેલા એકાદ મહાયુદ્ધમાં જગતના નવદશાંશા પુરુષ મરણ પામ્યા છે અને સ્ત્રીઓની સંખ્યા પ્રથમના જેટલા જ છે. આવા પ્રસંગે એકપત્નીકત્વની સંસ્થા એકંદરે હિતકર ન થતાં અનીતિપષક બને એ સ્પષ્ટ છે. એ સમયે જે “મનુ ' ઉત્પન્ન થશે તે અનેકનીકત્વને શાસ્ત્રશુદ્ધ ઠરાવશે અને તેજ યે ગ્ય થશે. પ્રાચીન ઇતિહાસ તરફ લક્ષ આપતાં જણાઈ આવે છે કે, મહંમદ પેગંબરે એક વખત મુસલમાનેને ચાર સ્ત્રી કરવાની પરવાનગી આપી હતી અને તેણે પિતે એકથી અધિક સ્ત્રીઓ સાથે લગ્ન કર્યું હતું. એક પત્નીત્વની દૃષ્ટિએ આ ગૌણ હશે; પણુ કાલની સ્થિતિના ધોરણે મહંમદ પેગંબરનું કાર્ય યોગ્ય જ હતું. ભિન્ન ભિન્ન જતિ વચ્ચે વૈમનસ્યથી તેમનામાં વારંવાર યુદ્ધ થતાં અને પુરુષો માર્યા જતા. આવી સ્થિતિ ઘણા દિવસ સુધી ચાલવાથી સ્ત્રીઓની સંખ્યા વધી પડી. તેમાં વળી તે સમયે પરંપરાગત ધર્મવિષયક અશ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી. આથી અનીતિ વધતી ચાલી અને તાળ અસ્થિર બન્યો હતો. આવી સ્થિતિમાં ચાર સ્ત્રીઓની છૂટ આપી એટલું નિયમન કર્યું એ તેને ઉપકાર જ હતું. તે વખતે કોઈ એ એક પત્ની વત પાળ્યું ન હોત અને મહેમદે તે પ્રયત્ન કર્યો હોત તો અનીતનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org