________________
૨૦૮
નીતિશાસ્ત્રપ્રવેશ
અમુક ઉત્તેજક સભા, તમુક નિવારક સભા વગેરે વગેરે ક્રૂડને, આશ્રમને તે સભાને સહાય આપવાની હદયેચ્છા, દેશસેવાની પ્રબલ સ્ક; તેમાંયે પુનઃ સ`ગીત નાટકાદિતા શાખ, ક્રિકેટ, ટેનિસ વગેરે રમવાની હાંશના વિચાર કરતાં તે બિચારાને એક રીતે સ્ત્રી પર પ્રેમને પાપ જ કહેવું પડે છે! કારણ, આશ્રમ, સભા વગેરેતે લવાજમ આપે, દેશસેવાના કુદમાં પડે, તા લલિતકળા વિષયક તથા પત્નીની ડ્રાંશ શી રીતે પૂર્ણ કરી શકે ? બાળબચ્ચાંના શિક્ષણની, લગ્નની ગેાઠવણ શી રીતે થઈ શકે એ પ્રશ્ન તેને એટલે સુધી ત્રાસ આપે છે કે તેનું હૃદયકમળ છિન્નભિન્ન થઈ જાય છે : જગલી સ્થિતિ કરતાં હાલમાં કેટલા પ્રકારનાં બંધન અને કર્તવ્ય પ્રાપ્ત થયેલાં છે, અને તે કેટલાં સૂક્ષ્મ, ગૂચર્વાયાં અને નાજુક બનેલાં છે તેનાં લાખા દષ્ટાંત આપી શકાશે; પરંતુ મુદ્દો સમજવા માટે જે થાડુંક દિગ્દર્શન કર્યું છે તેનાથી વિશેષ વિસ્તાર્ આ નાના પુસ્તકમાં શક્ય નથી. વિકાસવાદી તત્ત્વજ્ઞ સ્પેન્સરે જીવસૃષ્ટિના વિકાસનું વર્ણન કરતાં જણાવ્યું છે કે, કાઈ પણ સજીવ પ્રાણીના અવયવ પ્રથમ એક જાતીય હાય છે; તેમાં ભેદ વિશેષ પરિસ્ક્રૂટ નથી હાતા, તે એકબીજા પર અવલખેલ હાતા નથી. ટૂંકામાં કહીએ તે! તેમાં ભિન્ન, ગૂંચવણ કે પરસ્પરાવલંબિત્વ વિશેષ નથી હાતું, પણ જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ તેના અવયવ અનેકવિધ, અન્યાન્યાશ્રયી, વિશ્વતીય અને નિશ્રિત સ્વરૂપના બનતા જાય છે. ( Evolution proceeds from homogeneous, vague, incoherent simplicity to heterogeneous, definite, coherent complexity.) કહેવાનું એટલુ જ છે કે, સ્પેન્સરે આ જે જીવિકસન પતિ કહી છે તે નૈતિક વિકસનને સારી રીતે લાગુ પડે છે. જ`ગલી લોકોમાં ધંધા વગેરેથી ઉત્પન્ન થયેલી ભિન્નતા કે વિવિધતા ન હતી, તેમનાં કવ્ય સામાન્ય રીતે સરખાં જ હતાં, નૈતિક અંધન હાલના જેટલાં વિશેષ સમ કે સ ંમિશ્ર અથવા ગૂંચવાયેલાં ન હતાં, ઉપરાક્ત સૂત્રને જો વિચાર કરીશુ તે ધ્યાનમાં આવ્યા સિવાય નહિ રહે કે, સમાજને પણ કેટલાક સજીવવિકસનના નિયમ્ લાગુ પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org