________________
સદસદ્ધિબુદ્ધિને વિકાસ અને ઉદય ૨૭૫ સર્વ પ્રદેશમાં શાંતિની સ્થાપના થયા બાદ “અન્ય જાતિના લેકે આપણા જેવા જ છે, તેમની સાથે શા માટે છળ કરે, વગેરે વિચાર આવવા લાગે છે અને તેમની સ્ત્રીઓને નસાડી લાવવી, તેમને વિનાકારણે મારી નાખવી તેમની માલમિલકત લૂંટી લેવી વગેરે કચ પાપાત્મક લાગવા માંડે છે. સ્ત્રીઓની સાથે કેવું વર્તન રાખવું, યુદ્ધમાં પકડાયેલા કેદીઓને કેવી સ્થિતિમાં રાખવા વગેરે
બંધમાં ધીમેધીમે બદલાયેલા વિચારને ઇતિહાસ મનોરંજક છે, પણ તે આ પુસ્તકના અંકાયેલા ક્ષેત્રની બહાર છે. ટૂંકામાં
એટલું જ કહેવાનું છે કે, નીતિવિકાસનો આધાર જ્ઞાનની પ્રગતિ, રાજકીય પરિસ્થિતિ, આર્થિક પ્રગતિ વગેરે પર હોય છે.
ઉપર કહ્યું છે કે, નીતિતત્ત્વમાં વિરોધ ઉત્પન્ન થવા લાગે છે એટલે નીતિ અંતર્મુખ બને છે. આ અંતર્મુખતાને આરંભ થતાં પોતે કોણ, ક્યાંથી આવ્ય, ક્યાં જવાનું છે, આત્માનું સ્વરૂપ રાં વગેરે પ્રશ્ન આપોઆપ જ ઉદ્દભવે છે. કેટલાક આત્માને શારીરથી ભિન્ન ગણતા નથી, કેટલાક કહે છે કે આત્માને સુખ જોઈતું હોય છે, કેટલાક ધર્મ, કેટલાક જાતિહિત, કેટલાક ત્રીજું જ કઈ બેય સમજે છે અને પછી એવા પ્રકારના ભિન્ન પક્ષમાં વાદવિવાદ શરૂ થઈને નીતિની અંતર્મુખતા અધિક ઊંડી બને છે.
હાલના સુસંસ્કૃત સમાજ ઘણી જ ઊંડી બનેલી અંતર્મુખ અવસ્થામાં છે. આ અવસ્થાનું પરિણત સ્વરૂપ શું છે, તેનું પર્યવસાન શેમાં થશે એ વિષે મતભેદ હેવો સ્વાભાવિક છે. કેટલાક કહેશે કે એવી પ્રગતિ નિત્ય ચાલુ રહેશે, એને અંત જ નહિ આવે. કેટલાક કહેશે કે એ નીતિપુષ્પના વિકાસને ફળનું રૂપ મળવું જ કોઈ એ, વિકસન કંઈ અનંત હેય નહીં. આવા પ્રશ્નો વિશે વાદ કરવામાં કંઈ અર્થ નથી. પરંતુ પ્રથમ જે નીતિવિકરાનાવસ્થા જણાવી છે તેમાં જે એક બે સામાન્ય પ્રવૃત્તિ આવી જાય છે તે માત્ર કહેવાની જરૂર છે.
જંગલી માણસનું હમેશનું જીવન ચરિત્ર સાદુ હતું. તેમની જરૂરિયાતો થોડી હતી, આકાંક્ષા નામની જ હતી, વ્યાવહારિક સંબંધ છેડે હત; અર્થાત સાદાં નીતિતત્ત્વ તેમના કાર્ય માટે રતાં હતાં. તે કાળના એકાદ સારા માણસનું વર્તન કેવું હશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org