________________
નીતિશાસ્ત્ર પ્રવેશ ગણતા નથી. કાળાંતરે એ વિચારને વ્યક્ત અને સ્પષ્ટ સ્વરૂપ પ્રાપ્ત થવા છતાં તેમનામાં નૈતિક બીજને અંકુર ફૂટ્યો છે એમ કહી નહિ શકાય. કોઈ બીજાને ધોલ મારી તેના હાથમાંથી વનફળ ઝૂંટવી લે તે બીજાને ખોટું લાગવું સાહજિક છે. તે તરત જ તેના પર ધસી જશે અને બનને વચ્ચે મારામારી શરૂ થશે. કોઈ વખત બીજે ત્રીને ધક્કો મારશે કિંવા તેનું ફળ ઝૂંટવી લેશે અને પુનઃ મારામારીને પ્રસંગ આવશે. એવા અનેક અનુભવ થતાં થતાં તેના હૃદયમાં એ વિચાર ઉત્પન્ન થશે કે, “બીજાને ધક્કો મારવાથી મારામારી થાય છે માટે એ વર્તન ન રાખવું એ જ સારું.' આવા વિચાર પણ તેને નીતિના સામ્રાજ્યમાં લઈ જતા નથી; કારણ એમાં નફાનુકસાનને પ્રશ્ન આવે છે. કર્તવ્ય અકર્તવ્યને નહિ. પણ ધારે કે, પિતાની વૃદ્ધ માતાના હાથમાંથી ફળ ઝૂંટવી લેવાની તેને ઇચ્છા થઈ છે. મનનો હેતુ સફળ થયા પછી તેને થોડુંક સમાધાન મળશે, પણ માતા, બંધુ કે બાળકને દુઃખી થયેલાં જોઈ તેને માઠું પણ લાગશે. એ દુઃખની અનેક વખત અનુભવ થતાં તે વિચારશે કે માતાને દુઃખી કરી ફળ લેવું કે નહિ? પિતાના હાથમાંથી કોઈ ફળ લઈ લે છે તે પોતાને જેમ ખરાબ લાગે છે તેમ પિતાની માતાને પણ થાય છે અને એવું દુ:ખ દેવું કે કેમ એ વિચાર ઉત્પન્ન થતાં ત્યાંથી નીતિને પ્રારંભ થાય છે.
વિચાર કરતાં કરતાં તે મનમાં ઠરાવે છે કે, એવી દ્ર વાત માટે માબાપને કે બાળબચ્ચને દુઃખ આપવું ઠીક નથી. આ વિચાર નિશ્ચિત થયા પછી કોઈક વખત લોભને વશ થઈ માતાપિતા કે બાળબચ્ચાં પાસેથી તે ફળ છીનવી લે છે તે પાછળથી તેને પશ્ચાત્તાપ થાય છે. એ જાતિની અનેક વ્યક્તિને અનેક વખત એવો પશ્ચાત્તાપ થાય છે એટલે એવું આચરણ નીતિ દષ્ટિએ અસત ઠરે છે અને પછી તે જાતિનાં બાળકોને પણ માતાપિતા અને પડોશીઓના ભાષણથી બાલ્યકાળથી જ એ આચરણ અયોગ્ય લાગવા માંડે છે. કેાઈ અડબંગ માતાપિતાને એવું દુ:ખ દે છે તો સમગ્ર જ તે તેના પ્રત્યે ધિક્કાર દર્શાવે છે અને તેને મારવા પણ તૈયાર થાય છે એ વાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org