SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્રપ્રવેશ વૈર્ય કે આત્મયજ્ઞની કોઈએ પ્રશંસા કરી ન હતી. પરંતુ સ્વાર્થપ્રવૃત્તિ અને પરમાર્થપ્રવૃત્તિ બન્નેય મનુષ્યહૃદયમાં નિવાસ કરતી હોય છે અને ઉભય આવશ્યક તેમ ઈષ્ટ છે. પ્રત્યેકનું ક્ષેત્ર કયું, કઈ મર્યાદા પયંત સ્વાર્થપ્રવૃત્તિ અને સુખલાલસાને ગણકારવી અને પરાર્થ કેવો, કેટલે, કેમ અને કઈ રીતે સાધવો એ જે શિક્ષણકારા આપણને સમજાય – સમજાય એટલું જ નહિ પણ આપણા રત અને હાડમાંસમાં પ્રવેશી જે યોગથી સ્વભાવરૂપ બને – તે શિક્ષણ સારું. સદસદ્વિવેકબુદ્ધિ એટલે પ્રેમરૂપી બીજને ગૃહશિક્ષણદિકનું જળસિંચન થવાથી અંકુર ફૂટી પરિણામે વિકાસ પામેલું પુ. ગૃહશિક્ષણ જે ખરાબ હોય છે તે એ પુપને કેહવાણ લાગ્યા જેવું થઈ તેને વિકાસ અટકી પડે છે અને બધા તે વિદ્રુપ બની સુવાસને સ્થાને દુર્ગધ માત્ર પેદા કરે છે. એ સ્થિતિ પ્રાપ્ત ન થાય એવી ઈચ્છા હોય તે પ્રેમરૂપ બીજને મારું પાછું, સારું ખાતર, સારી હવા, સારા માળીની દેખરેખ વગેરે પ્રાપ્ત થાય તે સારું બને તેટલી વ્યવસ્થા રાખવી જોઈએ. સદસદ્વિવેકબુદ્ધિ કયા અર્થમાં અનુભવજન્ય છે અને કયા અર્થમાં ઈશ્વરદત્ત છે તેનું દિગદર્શન ઉપર થયું જ છે. હૃદયમાં પ્રેમ કે સહાનુભૂતિને ઝરો પ્રથમથી જ હોવો જોઈએ. તે કંઈ કૃત્રિમ ઉપાયથી નિર્માણ કરી શકાતો નથી; પણ એ ઝરાનું પાણી સ્વચ્છ રાખવું, સારી નીક પાડી હદયના સર્વ ક્ષેત્રને સમયસર યોગ્ય પ્રમાણમાં પાણી મળે તેમ કરવું વગેરે પરિસ્થિતિરૂપી માળીના સ્વાધીનમાં છે. પરિસ્થિતિમાં ગૃહશિક્ષણું ઘણું જ મહત્ત્વનું છે; ગૃહશિક્ષણમાં માતાપિતાના વર્તનને વિશેષ મહત્ત્વ છે અને માતાપિતામાં માતાનું શિક્ષણ વિશેષ મહત્ત્વનું છે. શિક્ષણનો અર્થ શાબ્દિક કે પુસ્તકીય ઉપદેશાત્મક શિક્ષણ નથી. શાબ્દિક ઉપદેશ શ્રોતાના કર્ણપ્રમાં પ્રવેશ કરી મગજમાં જઈ બેસે છે અને કદી કદી પુન : શ્રોતાના મુખ દ્વારા બહાર નીકળે છે; પણ અપ્રત્યક્ષ, દૃષ્ટાંતદ્વારા અપાયેલ મૂક ઉપદેશ સર્વ ઈદ્રિયો દ્વારા હૃદયમાં પ્રવેશે છે, રક્તમાં મળી જાય છે અને સ્વભાવ બની તદનુરૂપ વર્તન દ્વારા પુનઃ દષ્ટિગોચર થાય છે. સદસદ્વિવેકબુદ્ધિને સારે વિકાસ કરવાની ઇચ્છા હોય તે એ શિક્ષણ જેટલું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy