________________
સદસદ્ધિવેકબુદિનો વિકાસ અને ઉદય ૨૬૫ આ અવસ્થામાં અમુક વિશિષ્ટ વાત સારી છે કે ખરાબ છે તે સમાય છે પણ તે “ખરાબ કેમ” એની સમજ નથી હોતી અને તે ખરાબ હોવા બાબત તદ્દન નિશ્ચિત અને પૂર્ણ સુસ્પષ્ટ તથા નિયમબદ્ધ જ્ઞાન નથી હોતું. એ અવસ્થાને “અહંકારવિશિષ્ટ અંકુરાવસ્થા” કહી શકાશે.
(૩) આ પછીની અવસ્થા એટલે જે વખતે પ્રત્યક્ષ ઉપદેશથી પડેલી ટેવ અને સાધારણ વિચારથી થયેલા વર્તનનું શ્રેયસ્કર કિંવા અશ્રેયસ્કરન્ય મનમાં સારી રીતે નિયમબદ્ધ થયેલું હોય છે તે વખતની અવસ્થા. આ અવસ્થામાં ચિકિત્સા કે ઊહાપોહ વિશેષ નથી હોત. વૃત્તિ ઘણા જ અંશે બહિર્મુખ અને શ્રદ્ધાત્મક હોય છે. એ ૨૫વસ્થાને “અનતિચિકિત્સક નિશ્ચયાવસ્થાનું નામ આપી શકાશે.
(૪) પછીથી કેટલીક વખત આ નિયમને સ્વાનુભવમાં વિરોધ ઉત્પન્ન થઈને કહે, કિંવા ઈતિહાસ પુરાણાદિકમાંનાં વિરોધી દષ્ટાંતોથી કહે, કે આપણ નીતિનિયમથી વિરુદ્ધ વર્તનારા
દેશી કે પરદેશીઓને જોઈને કે તેમનું વર્ણન સાંભળીને કહે અથવા એવા જ પ્રકારથી નીતિનિયમના માન્યત્વ વિષે શંકા થાય છે; નિદાન તે વિષે વિચાર કરે પડે છે. મનમાં આવો વિચાર આવતા પહેલાં વૃત્તિ બહિર્મુખ હોય છે. આપણું હૃદયમાં શું ચાલે છે, તે જ ખરું કેમ માનવું, અન્યને અભિપ્રાય શા માટે ખરો ન માન વગેરે પ્રશ્ન કરનારી અંતર્મુખ વૃત્તિ તે વખતે નથી હોતી. પણ દષ્ટિ એક વખત એવી રીતે ફરે છે એટલે લોકોના અને આપણા બાહ્ય વર્તન કરતાં મનમાં રહેલા હેતુ તરફ કિંવા બુદ્ધિ તરફ વિશેષ લક્ષ જાય છે અને એ હેતુ કિંવા બુદ્ધિનું સદસત્ત્વ આપણે આપણા મનમાં આપણી પ્રવૃત્તિને અનુસરતું, શિક્ષાણાનુસાર, મનનાનુસાર ઓછી વસ્તી સૂકમતાથી, નિશ્ચિતતાથી અને સ્વૈર્યતાથી ઠરાવીએ છીએ. આ અવસ્થાને “અંતર્મુખાવસ્થા” કહી શકાશે.
(૫) આવી રીતે વિકાસ થતાં થતાં છેવટનું પગથિયું કર્યું આવશે તે કહેવાનું મુશ્કેલ છે. કેટલાક કહેશે કે, એ વિકસન અનંત છે, તે કદી પણ અટકવાનું નથી. કેટલાક કહે છે કે, જેમ જેમ ડુંગર પર ચઢતા જઈએ છીએ તેમ તેમ ક્ષિતિજ પણ દૂર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org