________________
સદસદ્વિવેકબુદ્ધિને વિકાસ અને ઉદય આયનામાં સામેની સારી અને ખરાબ વસ્તુનું પણ પ્રતિબિંબ હેય છે તેવા પ્રકારના માનસિક યથાર્થ પ્રતિબિંબને “જ્ઞાન” કહેવામાં આવે છે. આ માનસિક પ્રતિબિંબને આધાર વસ્તુના સારા નરસા પણ ઉપર છે. આપને જેમ ભલે ભૂંડે ભેદ જાણતા નથી તેમ તાર્કિકજ્ઞાન પણ ભલું ભૂડું સમજતું નથી. તે તે હોય છે તેવું બતાવે છે. જે “છે' તે હોવું જોઈએ કે ન હોવું જોઈએ એ વિચાર યથાર્થ પ્રતિબિબાતમક જ્ઞાનને નથી હોતો. હવે પ્રશ્ન એ થાય છે કે એ તારતમ્યાત્મક સદ અસદ્દવિચાર બાળકમાં ક્યારે કેવી રીતે પ્રાદ ભવ પામે છે.
અહંભાવને અને આ સદસદ્વિવેકબુદ્ધિને ઉદય એક જ કાળે થાય છે કે કેમ એ નિશ્ચયથી કહી શકાતું નથી; પણ એટલું તો નિશ્ચયપૂર્વક કહી શકાશે કે અહંભાવ વિના નૈતિક જોખમદારી, નૈતિક પસંદગી નાપસંદગી કે નૈતિક પશ્ચાત્તાપ હોતું નથી. સદસદ્વિવેકામક જ્ઞાનને અહંભાવ આવશ્યક છે; પણ યથાર્થ-સ્થિતિ નિદક જ્ઞાનને સદસદ્વિવેકની જરૂર નથી. “હોવું જોઈએ” એ વિચારમાં
છે' ને અંતર્ભાવ થાય છે; પણ “છે' ના જ્ઞાનમાં હોવું જોઈએ આવતું નથી એટલે ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ સદસદ્વિવેક પ્રતિબિંબાત્મક જ્ઞાન પછીનું પગથિયું છે. આ સિદ્ધાંતમાં “ ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ, એ શબ મહત્ત્વનો છે; કારણ કાળ અથવા વિમાનની દષ્ટિએ સદસદ્વિવેક અહંભાવ પછી છે, એવું કંઈ
અનુભવથી નિર્વિવાદ રીતે સિદ્ધ કરેલું નથી. બાળકના મનમાં અને સાથે જ ઉદય થતું હોય એમ લાગે છે. અહંભાવ અમુક જ વર્ષે ઉદ્દભવે છે એવું નક્કીપણે કહી શકાતું નથી. બાળક જે વખતે “હું-તું” વગેરે શબ્દ જ્ઞાનપુર:સર ઉચ્ચારવા લાગે છે તે વખતથી “ અહંભાવ” ઉદય પામ્યો છે એટલું જ કહી શકાશે. “ઘડે એટલે ઘેડ ” એવા પ્રકારની પુનરુક્તિ માત્ર આ વિધાનમાં છે એ વાત ખરી છે, પણ એ દેષ અનિવાર્ય છે. એ જ પ્રમાણે સદસદ્વિવેક અમુક જ વયે બાળકમાં ઉત્પન્ન થાય છે એમ કહી શકાતું નથી. તેને જ્યારે અમુક કામ કર્યું તે ખરાબ કર્યું, તેણે અમુક કર્યું તે ખરાબ હતું એવા વિચાર આવવા લાગે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org