________________
નીતિશાસ્ત્રપ્રવેશ લાગે છે; એ ઉપરથી જણાય છે કે તે સાહજિક, અબુદ્ધિપુરઃસર અને અનિવાર્ય સહાનુભૂતિને જ પ્રકાર કંઈ અંશે હશે, પણ બી કેઈનું બાળક રડતું હોય છે તો તે જોઈને તેને રડવું આવતું નથી, પરંતુ, પિતાને કે પિતાના ભાંડુ વાંક હોવાથી તે રડવા લાગે તે જ તે રડે છે, તે પરથી લાગે છે કે અપરાધ માટે કંઈ શિક્ષા થશે એ ભય કિંવા એવા જ કંઈ પણ મને વિકાર તેના મનમાં જાગૃત થતા હોવા જોઈએ. બિલાડી, કૂતરા કે સાપને ભય જે બાળકમાં સ્વાભાવિક કિંવા પ્રકૃતિ જ હોય છે. બાળકને પુષ્કળ ઊંચે ઉછાળતાં તે રડે છે એ પણ જેમ જન્મથી પ્રાપ્ત થયેલ (અનુભવજન્ય નહિ) પ્રવૃત્તિનું કાર્ય છે; તે જ પ્રમાણે પિતે કે પિતાની સાથે નિકટ સંબંધ ધરાવનાર બાળકે અપરાધ કર્યો હવે ત્યારે રડવું આવવું એ બાળકને સાહજિક સ્વભાવ હોવાનો સંભવ છે. ગમે તેમ હૈ, બાળક “હું” એવું બોલતું થવા સિવાય તેને અહંભાવ પ્રાપ્ત નથી અને અહંભાવ વિના અમુક મેં કર્યું ” કિના
એ દુઃખ મારે ભોગવવું પડશે” એ વિચાર સ્પષ્ટ રીતે તેના મનમાં આવશે નહિ. આવા અહંભાવાત્મક વિચાર તેના મનમાં આવે તો પણ મેં કર્યું તે યોગ્ય હતું કે નહિ” એવો વિચાર આવે જ જોઈએ એમ કહી ન શકાય. આ બીજા પ્રકારના વિચારમાં પસંદગી ના પસંદગી દર્શાવેલી હોય છે. અમુક વાત “હેવી જોઈએ” કિંવા ન હોવી જોઈએ' એવા અર્થના વિચાર અને અમુક વાત છે” કિવા “નથી” એવા અર્થન વિચાર એક જ કેટીના નથી. પહેલા વિચાર સંમતિ અસંમતિ સૂચક હોય છે અને બીજા વસ્તુસ્થિતિ-નિદર્શક હોય છે.
* વર્તમાન કાળનું સંશોધન આ વિધાનને ટેકો આપતું નથી. અર્થાત હાલના સંશોધન પરથી સર્પાદિકને ભય “પ્રકૃતિ જ હોય છે એમ જણાતું નથી.
૪ કેટલાક વિકાસવાદી કહેશે કે, પૂર્વજોના અપરાધી કૃત્ય માટે અનેક વખત વડીલો તરફથી કિવા કુદરત તરફથી શિક્ષા થઈ હશે અને અનુભવ અનેક પેઢીઓથી આનુવંશિક સંસ્કાર દ્વારા ક્રમે ક્રમે ઊતરી આવી કાલાંતરે તે “પ્રકૃતિ જ કે સ્વાભાવિક થયે હશે. પણ આ પ્રશ્નને અહીં સવિસ્તર વિચાર કરવાનું પ્રયોજન નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org