________________
સદસદ્વિવેકબુદ્ધિને વિકાસ અને ઉદય કેટલાકને જન્મથી જ ક્ષય, ગરમી કે એવો જ અન્ય રોગ લાગુ પડેલે હોય છે, તેમજ કેટલાકની “પ્રકૃતિ” ગુનાની પ્રવૃત્તિ કરે છે. આપણા દેશમાં કેટલીક જતિને “ગુનેગાર જાતિ' કહેવામાં આવે છે. તેમની સ્વાભાવિક વૃત્તિ જ ગુને કરવા તરફ હોય છે એવી સમજ છે. કહેવાને હેતુ એવો નથી કે એ સમજ ખરી છે. એ વિશિષ્ટ ઉદાહરણ છેટું હશે; પણ સામાન્ય સિદ્ધાંતની સત્યતા વિશે કંઈ જ શંકા નથી. માનસિક રોગચિકિત્સાશાસ્ત્ર (Mental pathology)નું જેને થોડું જ્ઞાન છે તેને દરેક પ્રકારના પાગલનાં, ભ્રામક સમાજનાં અને તે જ પ્રમાણે દુનિવાર પાપવૃત્તિનાં અનેક દષ્ટાંત આ વખતે યાદ આવશે.
ભિન્ન વ્યક્તિની નીતિક૯૫નામાં (૧) મૂલભૂત બીજ ભેદથી અને (૨) પરિસ્થિતિભેદથી ફરક પડે છે, એ સામાન્ય તત્વ માન્ય થયા પછી આ બે કારણને પરસ્પર સંબંધ શો છે, સદસંવેકબુદ્ધિના બીજને સામાન્ય બાળકમાં કયારે વ્યક્તિ અંકુર ફૂટે છે, તેને વિકાસ કેવો થાય છે વગેરે પ્રશ્નોનો વિચાર કરવાને હરકત નથી. કોઈ પણ એટલું તે કબૂલ કરશે કે બાળકને જમતાં જ ખરાખોટાનો વિધિનિષેધ હોતા નથી. જન્મ પછી કેટલાક વખત સુધી તેને કોઈ ગાળ દે છે તો તે લાગતી નથી, તેના પગથી દૂધને વાડકે ઊંધ થઈ જાય છે તે તે માટે તેને બોટું લાગતું નથી; પણ પછી થોડા કાળમાં કોઈ ગુસ્સે થઈને કંઈ બોલે છે તે તેને રડવું આવે છે. તેના પિતાના હાથે જ મોટાભાઈને કંઈ વાગે છે તે તે રડે છે ત્યારે તેને પણ રડવું આવે છે. તે અન્યનો રાગ દ્વેષ તેમજ અન્યનું દુઃખ સમજવું હોય છે. તેણે પિતે મારેલી વાડકીથી મોટું બાળક રડતું હોય છે તે જોઈને તે રડવા લાગે છે ત્યારે તે પિતા પર કોઈ ચિડાશે એ ભયથી રડે છે કે, સ્વાભાવિક, અનિવાર્ય અને અબુદ્ધિપુર:સર થતી સહાનુભૂતિને એ પ્રકાર છે; કિંવા કદી એ કારણ તો કદી બીજું કારણ અને કદી બંને કારણે ખરાં હોય છે તેને અહીં નિર્ણય કરવાનું પ્રયોજન નથી. પોતાને કંઈ અપરાધ નથી હે તે (ધારે કે તેણે પોતે માર્યું ન હૈય) અને અન્યને અપરાધ હોય છે ત્યારે પણ મોટા બંધુનું રુદન જોઈ તે નાનું બાળક રડવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org