________________
૨૫૮
નીતિશાસ્ત્ર પ્રવેશ ઉત્તર જુદા આવે છે. એક જાતની કેરીના ગોટલા આમ્રવનમાં રોપવા છતાં તેમાંના એકને શિવરાત્રીના દિવસે મોર આવે છે, બીજા પર તે વખતે ઝીણા મરવા થયેલા હોય છે, કિવા બનેનાં ફળ પકવ બન્યા પછી સ્વાદમાં ભિન્ન જણાય છે તેનું કારણ પણ એવું જ છે. બુદ્ધિ, પુષ્પ, ફળ, ગમે તે હે, પણ તે ભિન્ન ભૂિમક. અને પરિસ્થિતિમાં ઊછરે છે અને વિકાસ પામે છે તો તેનાં ચિ, સ્વાદ વગેરેમાં ભેદ થાય છે જ. અહીં એ વાસ લક્ષમાં રાખવાની છે કે, એક જાતની કેરીના ગોટલા નજીક નજીક કે દૂર ગામની ભૂમિમાં વાવવામાં આવે છે તેથી તેના ફળમાં જે ફરક પડે છે તેનાથી અધિક ફરક ભિન્ન વ્યક્તિના તાર્કિક બુદ્ધિના નિર્ણયરૂપી ફળમાં જણાય છે અને એથીયે વિશેષ નૈતિક નિર્ણરૂપ ફળના સંબંધમાં જણાય છે.
આ ઓછાવત્તા ભેદ પ્રમાણનું એક કારણ પરિસ્થિતિભેદમાં દેખાઈ આવે તેવું છે. આંબાના વાવેતર વાળી ભૂમિ ભૂમિમાં, પાણી પાણી માં અને હવા હવામાં જે ફરક હોય છે તેથી વિશેષ ફરક તાર્કિક ભૂમિકામાં અને વાતાવરણમાં હોય છે અને તેથીયે અધિક ફરક નતિક ભૂમિના વાતાવરણ અને પારસ્થાનમાં હોય છે.
નૈતિક નિર્ણય (અને પરંપરાનું આચરણ) એક દેશમાં તે શું પણ એક જ ગામમાં, ઘરમાં અને કુટુંબમાં ભિન્ન હોય છે, એ ઉપરથી પરિસ્થિતિ કરતાં અન્ય કારણ એ ભેદના પાયામાં હોવું જોઈએ એવી શંકા થાય છે અને તે એગ્ય પણ છે. “કંઈક વને અને કંઈક સાસુને, એ ન્યાય અહીં પણ લાગુ પડે છે. એક જ ભૂમિમાં ઊગેલા આંબામાંના કેટલાક મીઠા હોય છે અને કેટલાક ખાટા હોય છે, એક જ શાળામાં અને એક જ ગુરુના હાથ નીચે શીખેલા કેટલાક વિદ્યાર્થી પાસ થાય છે અને કેટલાક નાપાસ થાય છે, તે જ પ્રમાણે એક જ દેશમાં અને સંસ્કૃતિમાં ઉછરેલા, સમાન શિક્ષણ પામેલા, અરે એક જ ઉદરમાંથી ઉત્પન્ન થયેલા અને એક જ ઘરમાં ઊછરેલા કેટલાક બાળકે એક બીજાથી ભિન્ન પ્રકૃતિના નીકળે છે. કેટલાક સ્વાભાવિક સાત્વિક વૃત્તિના હોય છે, કેટલાક રાજસી હોય છે અને કેટલાક તામસી હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org