________________
સદસદ્ધિબુદ્ધિને વિકાસ અને ઉદય રપ૭ તાર્કિક બુદ્ધિમાં એ દેષ કે અપૂર્ણતા કેમ નથી, એ એક વિચાર કરવા જેવો પ્રશ્ન છે. વિલાયત કે અમેરિકા અરે, આખી દુનિયામાં ૨+૨=૪ થાય છે; કોઈ પણ સ્થળે ૫૪૩=૨૫ કદીયે થતા નથી કિવા થરી એવી શકાયે આવતી નથી. ગણિતવિષયક નિર્ણય સંબંધી સાર્વત્રિક એકવાક્યતા, નિશ્ચયતા અને સ્પષ્ટતા દેખાઈ આવે છે તેવી તિક વિષયમાં કેમ જણાતી નથી? વિલાયતમાં માંસભક્ષણ પાપાત્મક લાગતું નથી અને હિંદમાં લાગે છે તેનું કારણ શું? હિંદમાં ને હિંદમાં જે વાત એકને ધર્મ શુદ્ધ અથવા નીતિશુદ્ધ લાગે છે તે અન્યને અનીતિભરી કેમ લાગે છે? આવા પ્રકારના નિર્ણયભેદ ગણિતશાસ્ત્ર, રસાયનશાસ્ત્ર વગેરેમાં દષ્ટિએ પડતા નથી. એ બાબતમાં સર્વની બુદ્ધિ સરખી જ હોય છે, અર્થાત એક જ નિર્ણય આપે છે; તે નૈતિક બુદ્ધિ જ એ નિયમનું પાલન કેમ કરતી નથી? એવું નિયમ બહારનું વતન નીતિને શેમતું નથી ! પ્રત્યક્ષ નીતિશાસ્ત્ર જ જો એમ મનઃપૂત વર્તવા લાગે તે પછી અન્ય શાસ્ત્રની મર્યાદા શી રીતે રહે?
આ આક્ષેપને એક એ ઉત્તર આપી શકાશે કે, ગણિતશાસ્ત્ર વગેરેમાં જે નિશ્ચિતતા અને એકવાક્યતા જણાય છે તે કંઈ સાર્વત્રિક નથી. ગણિતને કઠિન પ્રશ્ન આવે છે ત્યારે ઉત્તર વિષે
કા ઉત્પન્ન થાય છે જ. શૂન્ય ભાગ્યા અન્ય () ને ઉત્તર બિનચૂક અને એકદમ કહેનાર ઘેડા જ મળી આવશે. * આ ઉપરથી જણાય છે કે, કાર્ય અકાર્ય વિષે નીતિશાસ્ત્રમાં જેવો વ્યાહ થાય છે તે જ ગણિતમાં પણ થાય છે. ભિન્ન દેશના લોકોના નીતિવિષયક નિર્ણય જેટલા ભિન્ન હોય છે, તેટલા જ ગણિતમાં પણ હોય છે. ગણિતમાં સર્વના ઉત્તરની એકવાક્યતા હતા તે તે વિષયમાં પુષ્કળ વિદ્યાર્થીઓ નાપાસ શા માટે થાત?
ભિન્ન દેશના લેકાના કિવા એક જ દેશના ભિન્ન માણસોના નીતિનિર્ણય જે કારણે ભિન્ન થાય છે તેવાં જ કારણથી ગણિતના
* નો ઉત્તર ૧ નહિ, નહિ, પણ શુ કિવા કિવા એ જ કંઈ પણ અનિશ્ચિત (Indefinite ) છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org