________________
૨૫૬
નીતિશાસ્ત્રપ્રવેશ વિધિનિષેધ, પ્રિયપ્રિય કે સંતવ અપ નથી એમ જે કહેવામાં આવે છે તે ખરું છે કે ખોટું છે, પણ એટલી વાત તો નિર્વિવાદ છે કે, નિશ્ચિત, સૂકમ અને લોકોને સમજાવી શકાય એ નીતિ અનીતિનો ભેદ સુસ્કૃન માનવકેટીમાં જ દષ્ટિગોચર થાય છે.
માણસ કેવળ જંગલી સ્થિતિમાં હતા તે વખતે સદ્ અધૂને નિતિક ભેદ કદાચિત તેના સમજવામાં આવતું હશે; પણ તે હાલના જેટલે સૂક્ષ્મ અને સ્પષ્ટ તે ન હતું જ. હાલ અસ્તિત્વમાં રહેલી કેટલીક જંગલી જનિની નીતિની ક૯પને અને આપણી કલ્પનામાં મહદ અંતર જણાય છે એ પ્રત્યેકને સ્વીકારવું પડશે. માનવજાતિમાં સદસદ્વિવેકબુદ્ધિને ઉદય ક્યારે કેવી રીતે થયું અને તેને વિકાસ શી રીતે થતો ગયે એ નીતિશાસ્ત્રના અંતે મને રજક પ્રશ્ન છે; પણ માનવ જાતિના માનસિક ઇતિહાસના એ વ્યાપક પ્રશ્નને વિચાર કરતા પહેલાં સુસંસ્કૃત સમાજની સામાન્ય વ્યક્તિમાં એ બુદ્ધિ ક્યારે શી રીતે ઉદય પામે છે અને તેનું વિકસન કેવી રીતે થાય છે એ મર્યાદિત પ્રશ્નનો વિચાર કરવાથી ઉક્ત પ્રશ્નને નિર્ણય કરવાનું કાર્ય કંઈક સહેલું થશે.
સુસંસ્કૃત સમાજના પ્રત્યેક માસમાં સદ્દ અસદવિવેકબુદ્ધિ. હોય છે અને એ શક્તિના યોગથી સત્ શું અને અસત શું તે સમજાય છે એવી સામાન્ય સમજ છે અને તેમાં ઘણે સ્થાંશ પણ છે. એ કલ્પના પૂર્ણ રીતે સત્ય છે એમ નહિ કહેવાનું કારણ એટલું જ છે કે, કેટલીક વખત સદસધિવેકબુદ્ધિ સત્ અને અસત વચ્ચેનો ભેદ સ્પષ્ટ અને નિશ્ચિતતાથી કહેતી નથી, કેટલીક વાર પુરાણપ્રિયતા, ગતાનુગતિકત્વ અને રૂઢિપ્રિયતા સદસદ્વિવેકબુદ્ધિને વેશ લે છે અને પછી તેની ખરી વાણી કઈ અને ખોટી કઈ તે કહેવાનું મુશ્કેલ બને છે, અને કેટલીક વાર તો એકની સદસદિવેકબુદ્ધિ એક નિર્ણય આપે છે ત્યારે બીજાની બુદ્ધિ તેથી તદ્દન વિરુદ્ધ નિર્ણય આપે છે અને પછી કઈ સદસદિવેકબુદ્ધિને ખરી માનવી તે વિષે ભ્રમ ઉત્પન્ન થાય છે.
સદસદ્વિવેકબુદ્ધિમાં અછુટતા, અનિશ્ચિતતા અને વિસંગતિ કેમ છે અને ગણિત, રસાયનશાસ્ત્ર વગેરેનો વિચાર કરનારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org