SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ સદસદ્વિવેકબુદ્ધિને વિકાસ અને ઉદય એટલે તેમનું શું એ ચું માનવું? વૃક્ષો નૈતિક સદસદ્વિવેક કરી શકતાં નથી, એટલું જ નહિ પણ ઘણાના મત પ્રમાણે તેમને સુખદુઃખનું ભાન પણ નથી. વનસ્પતિવર્ગથી પ્રાણીવર્ગ ઉચ્ચતર મનાય છે, પરંતુ એ વર્ગને અભાવ નથી તેથી સત અને અમરા વિનષધ તેમને પણ નહિ હોવાનું કેટલાક કહે છે. રાના બેઈમાન વર્તનથી માલિક તેના પર ગુસ્સે થાય છે ત્યારે કૂતરાને માઠું લાગે છે અને તે એશિયાળો બને છે – અથવા તે જણાય છે એ ખરું છે; પણ એ એશિયાળાપણું કે દુઃખ માણસને જે નૈતિક પશ્ચાત્તાપ થાય છે તેવું હોય છે કે કેમ એ વિષે વાદ છે. માણસમાં અભાવ હોય છે, સ્મૃતિ હોય છે, મનમાં બેય યોજેલું હોય છે. એ ધ્યેય પ્રમાણે ચાલવું કે ન ચાલવું એ નેતાના હાથમાં છે એમ તેને લાગે છે, અને તેવું વર્તન જે થતું નથી તે તેને પશ્ચાત્તાપ થાય છે. પશુવર્ગમાં અહંકાર નથી, નિદાન વિશેષ વિકસિત અવસ્થામાં નથી, તેને ધ્યેય નથી, આત્મસ્વાતંયની કલ્પના નથી તેથી તેમને કંઈ નીતિ વિષયક * પૃ. જગદીશચંદ્ર બરાએ વનસ્પતિશાસ્ત્ર વિષે જે ક્રાંતિકારક શોધ કરી છે તે વાચકને યાદ આવ્યા સિવાય નહિ રહે. તેમણે પ્રયોગપૂર્વક સિદ્ધ કરી આપ્યું છે કે, પ્રાણીવર્ગમાં જ્ઞાનતંતુનું અને પ્રવૃત્તિતંતુનું (ifferent and efferent nerves) જેવું ગત્યાત્મક (ભાવનાત્મક નહિ) કાર્ચ થાય છે તેવું જ વનસ્પતિમાં થતું જણાય છે. વિષપાન થવાથી આપણું હાથપગનો વ્યાપાર મંદ પડી મૃત્યુ પ્રાપ્ત થાય છે તેમજ વનસ્પતિને વિષપાન કરાવતાં બને છે. અન્નના અધિક આહારથી આપણને સુસ્તી પ્રાપ્ત થાય છે તેમ વનસ્પતિને પણ અધિક આહાર કરાવવાથી તેના અંતસ્થ વ્યાપારમાં સુસ્તી આવેલી જણાય છે, એવા પ્રકારની જે બાબતો દે. બસુએ સિદ્ધ કરી છે તે વિષે વાદને સંભવ નથી, એ સિદ્ધાંત પરથી કદી કદી વનસ્પતિને સુખ દુઃખની ભાવના હેવાને કાઢવામાં આવતા સિદ્ધાંત ન્યાય દષ્ટિએ અસિદ્ધ છે. સિનેમામાં માણસ જેવી હિલચાલ જણાય છે પણ પડદા પરની છાયાને સુખદુ:ખની ભાવના હેવાનું સિદ્ધ થતું નથી, તે પ્રમાણે જ માણસમાં જ્ઞાનતંતુનું જેવું ગત્યાત્મક કાર્ય થાય છે તેવું જ વનસ્પતિમાં દેખાય છે માટે એ ગત્યાત્મક સામ્ય પરથી ભાવનાત્મક સામ્યનું અનુમાન કરવું યુક્ત નથી. આ સંબંધીનો વિશેષ ઊહાપોહ છેવટનાં પરિશિષ્ટમાં કર્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy