________________
સદસદ્ધિવેકબુદ્ધિને ઉદય અને વિકાસ
દીવાલ, પથ્થર, એન્જિન અને ધોધમાં સદસદ્વિવેકબુદ્ધિ છે એમ કઈ કહેતું નથી. એન્જિન નીચે કે પડતી દીવાલ નીચે કઈ ચગદાઈ જાય છે તે એન્જિન નીચેનું ચક્ર કિંવા દીવાલ ઘર્ષણના કારણે કિંચિત્ તૃપ્ત થશે; પણ તેને પશ્ચાત્તાપ થવાની નથી. દીવાલને કેાઈ લાત મારે છે તો તેને ગુસ્સો ચડે છે એમ પણ હોતું નથી. દીવાલને સદાચાર કે દુરાચારને વિધિનિષેધ નથી. દીવાલને કાન હોય છે એમ કહેવાય છે તે પ્રમાણે તેને ચક્ષુ છે એવી કલ્પના કરીએ તો એ ચક્ષુ પરોપકાર, વ્યભિચાર, ખૂન વગેરે તરફ સ્થિતપ્રજ્ઞની માફક માત્ર “સમદષ્ટિએ' જોઈ શકશે : - દીવાલ, દર્પણ વગેરે જડ વસ્તુથી ઉચ્ચતર કોટી તરફ લક્ષ આપીએ છીએ તેમાં જીવ” જણાય છે; પણ ત્યાંય સદસદિક બુદ્ધિનું ચિહન જણાતું નથી. વૃક્ષના ઉછેરને માટે આપણે અમુક જમીનને સારી અને નરસી કહીએ છીએ પણ એ સારું અને નરસું જુદા પ્રકારનું છે અને સત અસતને નૈતિક ભેદ જુદા પ્રકાર છે. વૃક્ષે સૂર્યને તાપ સહી લઈને લોકોને છાયા આપે છે, પક્ષીઓને પિતાની ડાળીઓમાં આશ્રય આપે છે વગેરે પ્રકારે તે પોપકાર કરે છે એમ કાવ્યગ્રંથ કહે છે; પણ નિરંકુરા: વયઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org