________________
નીતિપ્રામાણ્ય અથવા નીતિ સમર્થન ૨૫૧ નિગુણથી સગુણપત્તિ કેવી રીતે થઈ તેને નિર્ણય વિવર્તવાદથી કરે છે. વિવર્તવાદને ખરો અર્થ આવા સ્થળે એ છે કે,
હું પપત્તિ બરાબર બંધ બેસતી નથી. પરંતુ ઘણાએ સપષ્ટ રીતે તેમ કહેવાને અચકાય છે તેથી “વિવર્તવાદ” એ ગૂઢાર્થક અને મોહકારક શબ્દ યોજી પિતાને અને અન્યને માત્ર ફસાવે છે!
હવે બેન્થમના આક્ષેપને વિચાર કરીશું. તે કહે છે કે, સજજનોએ નીતિ સંબંધીના પિતાના જે વિચાર હોય તે પોતાની પાસે રાખવા જોઈએ. નકામા બીજાને માથે મારવા ન જોઈએ. ભલે તેમણે ચોરી ચાડી ન કરવી; પણ બીજા કરે તે સારુ દોષ આપવાની શી જરૂર ? “તેના નીતિવિચાર જુદા છે” એટલું જ કહીને તેમણે બેસી રહેવું જોઈએ. બેન્થમને આગ્રહ આવે છે. પણ “ અન્યને આત્મા આપણા જેવો જ છે,” એ સ્વસંભાષણનું,
વ્યવહારનું અને તત્ત્વજ્ઞાનનું આદ્ય ગૃહીત કાર્ય છે. મને જે લાલ દેખાય છે તે અન્યને પણ લાલ દેખાય છે કિવા દેખાશે, મને ર૪૨=૪ લાગે છે તે જ પ્રમાણે બીજાને લાગવી જોઈએ એ વાત આપણે સ્વીકારી લઈએ છીએ તેથી સંભાષણ અને વ્યવહાર ચાલે છે. જેને ર૪૨=પ લાગતા અંશે તેને આપણે ગાંડે ગણીશું. એ જ પ્રમાણે “અન્યને ત્રાસ પડે તેમાં આનંદ માન, અન્યને પ્રાણ લઈ ખુશી થવું” વગેરે પ્રકારનાં તત્ત્વ જેને પસંદ હોય તે નીતિદષ્ટિએ ગાંડે છે એમ કહેવાને શી હરકત છે? અને પિતાને જ
ગ્લડનો રાજા કે જાપાનની રાણી સમજનારને ગાંડાના દવાખાનામાં મોકલવાને કંઈ વાંધો જણાતું નથી તે પ્રમાણે જ ઉપર જણાવ્યાં તેવાં વિલક્ષણ નીતિતત્ત્વનું પ્રતિપાદન કરનારને રંગમાં મેકલવાને કંઈ વાંધે લાગ ન જોઈએ.
તાપર્ય એ છે કે, નીતિનિયમ અધિક સુખદાયક કિંવા દુઃખનિવારક છે માટે તે પ્રમાણભૂત છે એમ નથી, શાઍ કહ્યાં છે માટે આદરણીય છે એમ નથી, પ્રભુએ સ્થાપેલાં છે માટે માન્ય છે એમ પણ નથી, તે પાળવાથી સ્વર્ગ મળે છે અને નહિ મળવાથી નરક મળે છે એમ કહેવું તે ભૂલ છે અને નીતિનિયમનો ભંગ કરવાથી તુરંગમાં જવું પડે છે કિંવા નિદાન લોકમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org