________________
નીતિશાસ્ત્ર પ્રવેશ તથા અનિશ્ચિત નતિમત્તા પ્રિય નથી. તેમને લાગે છે કે નીતિમત્તા એથી અધિક બલવાન, નિશ્ચિત, નિરપેક્ષ અને નિત્ય સાધાર હેવી જોઈએ. એ વિષેને આધારે તેમને વેદાંતમાં મળી આવ્યો છે. વેદાંત કહે છે કે, સર્વને આત્મા એક હેવાનું તત્ત્વ સ્વીકાર્યો પછી નીતિતત્ત્વનું પ્રમાણ શું, એ પ્રશ્ન સહેલાઈથી છૂટે છે. સર્વ ભૂતમાં આપણે છીએ અને આપણામાં સર્વ ભૂત છે :
सर्वभूतेषु चात्मानं सर्वभूतानि चात्मनि ।। એવા પ્રકારની જેની દષ્ટ બનેલી છે તેને આપપરભાવે જ તૂટે છે અને પછી અન્ય પર કેમ પ્રેમ કરે એ પ્રશ્નને અર્થ જ રહેતું નથી. વેદાંત અબાધિત અને નિત્ય છે એટલે તેના પર ખડે કરેલે નીતિશાસ્ત્રનો મહેલ પણ તેટલે જ અબાધિત અને નત્ય છે, એવું લો૦ માતિલકનું અભિમાનયુક્ત કથન છે અને તે સાપેક્ષ તથા અનિશ્ચિત જનહિતવાદને ઓછા મહત્ત્વનો માને છે તે આ દષ્ટિએ એગ્ય જ છે. પણ એ સંબંધમાં એકાદ જનહિતવાદી બે આક્ષેપ કરી શકશે. તે કહેશે કે (૧) અહિંસા --- પરોપકારાદિ નીતિતત્તવ સારાં છે એ વાત જગલી અને હલકટ મનુષ્ય પાસે કબૂલ કરાવવાની શક્તિ જનહિતવાદમાં નથી તેથી જે તેને ત્યાજ્ય કે નિદાને હીન સમજે હોય તે, વેદાંત પણ એ જ રીતે હીન છે એમ કહી શકાશે. જ્ઞાનર્વિધ ગ્રંહ્માપિ ન ન રંગથતિ એ ભતૃહરિને અભિપ્રાય વિચારમાં લઈએ તે દુરાગ્રહી હલકા માણસ પાસે વેદાંતતત્વ ખરું મનાવવાની શક્તિ બ્રહ્મદેવમાં છે કે નહિ તેની પણ શંકા છે; તે પછી અન્યની શી વાત? (૨) બીજું એ કે, વેદાંતનો મહેલ એટલો મજબૂત ક્યાં છે? લોમાત્ર તિલક જે વેદાંતના પાયા પર નીતિશાસ્ત્રને મહેલ ઊભે કર્યો છે તે વેદાંત એકે સ્થળે જોઈએ તેટલો મજબૂત નથી એમ તેમને પિતાને જ કબૂલ કરવું પડયું છે. તેમણે કેટલેક સ્થળે જણાવ્યું છે કે, નિર્ગુણ બ્રહ્મ સગુણ કેમ થયે તેની ઉપપત્તિ લગાડી શકાતી નથી. તિલક ત્રિગુણાત્મક પ્રકૃતિ પછીની થયેલી ઉત્પત્તિને સાંખ્ય પ્રમાણે ગુણપરિણામવાદથી સિદ્ધ કરે છે; પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org