SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ કહી શકાશે. ૨. જોશીએ પિતાના પુસ્તકમાં યુરોપી શાસ્ત્રીય વિવેચનપદ્ધતિનો ઉપયોગ કર્યો છે તથા આપણે ત્યાંની નીતિ વિષેની ઘણીખરી કલ્પના તેમાં એકત્ર કરી છે. ઝીણી ઝીણી હીરાકણીને વ્યવસ્થિતપણે ગાળામાં ગોઠવવામાં આવે છે તો તેની સુંદર મુદ્રા તૈયાર થઈને તેમાં કણીઓનું તેજ એકત્ર થઈ ઝળકે છે તથા આભૂષણને અદ્વિતીય સુંદરતા પ્રાપ્ત થાય છે, પણ તેમાં હીરાકણીએ નિર્માણ કરેલ સુંદરતા કેટલી તથા ગાળાએ નિર્માણ કરેલી કેટલી તે કહેવાનું કામ કઠિન છે. તે જ પ્રમાણે રા. જોશીએ આપણું સાહિત્યની નીતિવિષયક કલ્પનાઓની હીરાકણીઓ યુરોપમાં તૈયાર થયેલા શાસ્ત્રીય પદ્ધતિરૂપ ગાળાના મરાઠી સાંચામાં બેસાડી આપી છે. એથી આપણી નીતિવિષયક કલ્પનાઓ ઉઠાવદાર જણાય છે એ વાત ખરી છે, પણ તેમાં હીરાકણીઓને પિતાને ગુણ કેટલે અને ગાળાઓનો ગુણ કેટલો તે સમજવું મુશ્કેલ છે. ર. જોશીના પુસ્તકમાં એકંદર સોળ પ્રકરણ અને તે ઉપરાંત સાત પુરવણી પણ છે. એ સર્વમાં નીતિ વિષેના ઘણા ખરા પ્રશ્નોનો ઊહાપોહ થયેલો છે. ભિન્ન ભિન્ન મને વિચાર કરવામાં, તેમનું ખંડન મંડન કરવામાં, પૂર્વ અને પશ્ચિમના વિચારની તુલના કરવામાં અને તેના ગુણદોષ દર્શાવવામાં રા. જોશીએ સમતોલપણું, નિરભિમાન અને સત્યપ્રેમ દર્શાવી આપ્યાં છે. આ જ ખરી શાસ્ત્રીય વૃત્તિ છે અને એકંદર વિવેચન વિકાર કે દુરભિમાનના દોષથી મુકત છે. તેમના પુસ્તકનાં કેટલાંક પ્રકરણ તદ્દન સ્વતંત્ર રીતે લખાયેલાં છે. દાખલા તરીકેઃ ધર્મનિષ્ઠા અને નીતિનિષ્ઠા, કાર્ય અકાર્ય ઠરાવવાની કસોટી, વિકાસવાદ અને નીતિશાસ્ત્ર એ પ્રકરણો સરસ બનેલાં હોઈ તેમાં રા. જોશીએ પિતાને મત સ્પષ્ટ રીતે કહ્યું છે તથા તેમાં અને વિશેષતઃ વિકાસવાદમાં અદ્યતન માહિતી તથા મતોને સંગ્રહ કરી આપે છે. એકંદરે આખું પુસ્તક જ સરસ બન્યું છે એટલે વિશેષ પસંદગી નાપસંદગી દર્શાવવાનું કામ કઠિન છે. રા. જેશીએ અતિ શ્રમ લઈને નીતિ વિષેનું આ પહેલું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy