________________
२३
તેની મર્યાદા કેટલી છે તે પ્રથમ નક્કી કરવામાં આવે છે. પછી તે શાસ્ત્રને બીજાં તેના જેવાં શાસ્ત્રો સાથે કેવા પ્રકારનો સંબંધ છે તેનું વિવરણ કરવામાં આવે છે. પછી તે વિષયની સાદી તથા સરળ ક૯૫નાઓની વ્યાખ્યા કરવામાં આવે છે, પછી તે કલ્પનાના મૂળમાં રહેલા તત્ત્વ અથવા તો ઊહાપોહ કરવામાં આવે છે તથા તે તત્ત્વના યોગથી તે વિષયના ભિન્ન ભિન્ન પ્રશ્ન કેવી રીતે છેડી શકાય છે કિવા તે વિષયની સામાન્ય કલ્પનાનું સમર્થન કઈ રીતે કરી શકાય છે તેનું પ્રતિપાદન કરવામાં આવે છે. અને પછી તે શાસ્ત્રને ઉપયોગ, તેનાં ધ્યેય અને તેની ભાવી રિથતિ કિવા પ્રગતિનું વિવેચન કરવામાં આવે છે. આ સર્વ વિવેચન અનુભવ તથા યુક્તિને માન્ય થાય તેવી રીતે કરેલું હોય છે. એવાં વિવેચનમાં અન્ય લેખકના ઉતારા લીધેલા નથી હોતા કિંવા પ્રથમનાં પુસ્તકોનો ઉલ્લેખ બિલકુલ નથી હોત એમ નથી. પૂર્વમતના ખંડન માટે ઘણી વખત એવા ઉલ્લેખ થાય છે. પોતાના મતના સમર્થનાથે પણ ઉતારા કરવામાં આવે છે; પરંતુ તે વિચારને માન્ય થનાર હોય છે તેથી આગળ મૂકવામાં આવે છે. શબ્દપ્રમાણ તરીકે રજૂ થયેલા નથી હોતા.
રા. જોશીએ આ જ શાસ્ત્રીય પદ્ધતિને પોતાના પુસ્તકમાં ઉપયોગ કર્યો છે. નીતિશાસ્ત્રના પ્રશ્ન વિષેના પ્રત્યક્ષ વિવેચનમાં તેમણે વારંવાર સંસ્કૃત ઉતાર આપ્યા છે. સ્થળે સ્થળે તેમણે આપણું સાહિત્યમાં નીતિશાસ્ત્ર વિષે કેટલો વિચાર થયો છે તે પણ દર્શાવ્યું છે. રા. જોશીનું પુસ્તક વાંચવાથી આપણા સાહિત્યની નીતિક૯૫ના કેટલી ઉદાત્ત હતી અને તેને કેટલો ઊંડો વિચાર થયો હતો તેની સારી માહિતી મળશે એ વિષે શંકા નથી. તેમજ પાછળ કહ્યા પ્રમાણે આ પુસ્તકના યોગથી આપણામાં નીતિશાસ્ત્ર હતું કે નહિ એ પ્રશ્નને સંતોષકારક રીતે નિર્ણય આવશે. આપણું સાહિત્યમાં ઠેકાણે ઠેકાણે નીતિવિષયક પુષ્કળ ઉદાત્ત તો તથા વિચાર આપેલા છે. આ દૃષ્ટિએ આપણે ત્યાં નીતિશાસ્ત્ર હતું; પણ યુરોપમાં પરિપકવ સ્થિતિએ પહોંચેલી વિશિષ્ટ શાસ્ત્રીય વિવેચનપદ્ધતિ આપણે ત્યાં ન હતી. આ દૃષ્ટિએ આપણું સાહિત્યમાં નીતિશાસ્ત્ર ન હતું એમ પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org