________________
२२
શાસ્ત્રરૂપી નીકોનો પ્રવાહ એકસરખો વધતો રહે એ સ્વાભાવિક છે. શબ્દપ્રમાણુ સંગ્રહી રાખેલા પાણીના ટાંકા સમાન છે તેથી સ્પષ્ટ છે કે તેમાંથી નિપજાવેલો શાસ્ત્રરૂપી પ્રવાહ હમેશ ટકનારે કિવા અખલિત વહેનારો હોય નહિ.
હિંદુસ્તાનના ઇતિહાસમાં આવા ભિન્ન ભિન્ન સ્વરૂપના વિશિષ્ટ કાળ દષ્ટિએ પડતા નથી. એક દષ્ટિએ ઋગવેકાલિન આર્યો હિંદમાં આવ્યા ત્યારથી તેમની સંસ્કૃતિ એકસરખી ચાલી રહેલી છે. કહેવાનો અર્થ એવો નથી કે આ સર્વ કાળમાં ક્રાંતિકારક ભાંગફોડ થઈ નથી. આર્યોએ હિંદમાં હમેશને માટે વસવાટ કર્યો અને તેમણે પોતાના દેવોને વખતો વખત કરેલી પ્રાર્થનાઓને સંગ્રહ વેદમાં કર્યો અને ત્યારથી વેદને મહત્ત્વ મળ્યું. વેદ અપૌરુષેય છે, અર્થાત તે માનવકૃતિ નથી તથા સ્વતઃ પ્રમાણ છે એવી સમજને પ્રચાર થયો તથા શબ્દપ્રમાણને મહત્ત્વ પ્રાપ્ત થયું. આથી આપણી સર્વ સંસ્કૃતિમાં શબ્દપ્રમાણુ એ એક મહત્ત્વનું પ્રમાણુ ગણતું ગયું. આપણું લોકેએ અનુભવ તથા વિચારને બિલકુલ માન્યા નથી એમ નથી; પણ અનુભવ તથા વિચાર કરતાં આપણું લોકો શબ્દપ્રમાણને વિશેષ વળગી રહ્યા એમાં શંકા નથી. આ વાત શાસ્ત્ર શબ્દ પરથી જ સિદ્ધ થાય છે. પાછળ કહ્યા પ્રમાણે યુરોપમાં શાસ્ત્રનો અર્થ
અનુભવ તથા વિચારના મેગે પ્રાપ્ત થયેલા વ્યવસ્થિત જ્ઞાનના સંગ્રહ” એવો છે; ત્યારે આપણે ત્યાં શાસ્ત્ર એટલે “અધિકારી વાણીથી ઉચ્ચારાયેલાં વાક્ય એ છે. શાંકર ભાષ્યમાં આ અર્થ વારંવાર દષ્ટિએ આવે છે. જ્યાં જ્યાં “શાસ્ત્ર પ્રમાણ’ એવો ઉલ્લેખ આવે છે ત્યાં ત્યાં ઉપનિષદ્ વાક્ય તરફ આંગળી કરવામાં આવે છે. તેથી જ કબૂલ કરવું જોઈએ કે, આપણા સાહિત્યની વૃદ્ધિ સૂત્ર, ભાષ્ય, ટીકા વગેરે સ્વરૂપમાં થઈ છે; યુરેપની શાસ્ત્રીય વિવેચનપદ્ધતિથી સાહિત્યની વૃદ્ધિ થયેલી નથી.
હવે યુરોપની શાસ્ત્રીય વિવેચનપદ્ધતિનું ટૂંકામાં દિગદર્શન કરવું ઇષ્ટ છે. આ પદ્ધતિમાં પ્રથમ શાસ્ત્રની વ્યાખ્યા ઠરાવવામાં આવે છે. એટલે તે શાસ્ત્રમાં કયા વિષયને અંતર્ભાવ થાય છે તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org