________________
નીતિપ્રામાણ્ય અથવા નીતિસમર્થન ર૪૩ ઉદાર મનના છે એ; પણ એ ચેખી આત્મવંચના છે. દાન કુટ અપાય છે એમ જાણ્યા છતાં આપવું એ સદ્ગણ નહિ પણ પાપ છે. આવા પ્રસંગે કરેલા પરોપકારને સુખપ્રેરિત કહેવો યોગ્ય છે, કારણ આપણું દયાર્દ બુદ્ધિ આપણને એક પ્રકારનું દુઃખ આપે છે અને એ દુઃખના નિવારણ માટે અને આપણે “કેમલ મનના ઉદાર ગૃહસ્થ છીએ” એમ લેકે કહે, કિંવા આપણે માની શકીએ એ હેતુથી આપણે કર્તવ્યસ્મૃત બની મનને ગમે તેવું કામ કરીએ છીએ. આધુનિક જર્મન તત્ત્વવેત્તા નિશે એવી કોમલ અને ઉદાર બુદ્ધિને માન આપતું નથી. ઊલટું તેની નિર્ભર્સના કરે છે. તે કહે છે કે, તેમ કરનારમાં મનેધેય નથી પણ દુર્બળતા છે. ગુલામી તે ગમે તેવી પણ ગુલામી જ, પછી તે કોમળ મનોવૃત્તિની છે કે કર મનવૃત્તિની છે. લોકે. જે ગુણનાં વખાણ કરતા હોય છે તે ઘણી વખત દોષિત હોય છે, એ કથન (નિશેનું) તદન ખરું છે. જે ગુણ આપણને કર્તવ્યયુત બનાવે છે તે ગમે તેટલો મોહક હોય, પણ દાસત્વ સ્વીકારવું એ તે ખોટું જ છે. માતાને બાળક પર હદ બહારને પ્રેમ એ સદગુણ નથી. પ્રેમને પાને દબાવવાનું તેને માટે દુસહ બને છે તેથી તે વધારા પડને પ્રેમ કરે છે; સદાચારપ્રીતિ માટે કે તંત્રદાતા માટે નહિ. નિર્લ્સને સૌમ્યતા, પ્રેમાળપણું, કમળતા, દયાદ્રતા આજ્ઞાધારકત્વ વગેરે ગુણ વિશેષ પિય નથી. તેનું કહેવું તો એવું. છે કે એવા ગુણ શીખવનાર સ્વાથી અને દુર્બળ મનના હોય છે. એ ઢોંગ નીતિના ગુલામોને ઉચિત છે, તે દાસ-નીતિ (Slave Morality) છે, અધિપતિ-નીતિ (Master morality) નથી. જેણે આત્મજય મેળવ્યો છે અને જે કાઈથી ડરતે નથી તે એવી અચિત કોમળતાને વશ થવાને બદલે પુરુષત્વ સ્વીકારી ન્યાયનિષ્કર બનશે. નિજોની દૃષ્ટિએ જે આદર્શ ભૂત કે પુરુષ છે તે સૌમ્યતા, દયાતા, આજ્ઞાધારકતા વગેરે સગુણનાં વિશેષ બણગાં ન ફૂકતાં ન્યાય, ઉચિતતા અને કર્તવ્યકર્મને જ વિચાર કરી વજની માફક કરતા સ્વીકારવાનું વૈર્ય બનાવે છે. તેમ કરતાં તે કચવા નથી. નિોએ કેમલતા એટલે દુબળતા હોવાને ભાસ કરાવ્યો છે તે ભૂલ છે. મહાત્માનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org