________________
નીતિપ્રામાણ્ય અથવા નીતિસમર્થન માણસ એક વખત નૈતિક વિષયને તર્કદષ્ટિએ વિચાર કરવાનો આરંભ કરે છે અને પ્રત્યેક વાતમાં “એમ કેમ? તેમ શા માટે નહિ એવા તર્કવિતર્ક લડાવવા લાગે છે તે એમ જ જણાય છે કે, એ પ્રશ્નો અંત જ આવશે નહિ અને તેથી સાથે સાથે સર્વ સુસંસ્કૃત વિચારનું તથા કમલ ભાવનાનું પૃથક્કરણ કરવા ઇચ્છનાર નીતિશાસ્ત્રજ્ઞ પર ગુસ્સો આવે છે. તેમજ એ તાર્કિક નીતિશાસ્ત્રવિશારદને એવું પૂછવાનું મન થાય છે કે, નીતિરૂપી શેરડીને સ્વાદ લેવાને બદલે તેના કૂચા કરી નાખવામાં કિવા તર્કને ચરખામાં તેને પીલી ફક્ત કૂચા હાથમાં આપવામાં તમને શે પુરુષાર્થ લાગે છે? પણ એ પ્રશ્ન અસ્થાને છે. જેમની ઇચ્છા ન હોય તેમણે નીતિશાસ્ત્રનો વિચાર કરે નહિ, પણ વિચાર કરે હોય તે તે સશસ્ત્ર જ થવો જોઈએ. ત્યાં આગળ કોઈની શરમ રાખી શકાય નહિ. વૈદ્યકશાસ્ત્રની ચર્ચા કરવી હોય તે મલિન અને ગુહ્ય રેગની, ઉદરમાં રહેલા મળની, આંતરડાંની કે અન્ય કોઈની પણ દુર્ગધીથી વમન થવાને ભય કે લાજ શરમ રાખી શકાય નહિ. તેવી જ રીતે નીતિશાસ્ત્રની ચર્ચા કરવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org