SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ કાકાર્ય કરાવવાની કટી ૨૩૩ થયા સિવાય આત્માનું પૂર્ણ સ્વરૂપ, તેની ખરી પ્રિય અપ્રિયતા, તેનાં ભિન્ન ભિન્ન અંગોને પરસ્પર સંબંધ, કયા અંગનું કેટલું મહત્ત્વ છે વગેરે પ્રશ્નનો સવિસ્તાર અને નિશ્ચયાત્મક ઉત્તર આપવાનું શક્ય નથી બનતું. આથી પૂર્ણ વિકાસ થતાં સુધી સામાન્ય વનથી જિજ્ઞાસા તૃપ્ત કરી લેવી જોઈએ, સૌજન્યના ઉચ્ચતમ સ્વરૂપનું જ્ઞાન ન હોય અને અંગુલીનિર્દેશ કરી અમુક જ સૌજન્ય છે એમ ન કહી શકાય તે પણ સૌજન્યને પ્રિય ગણા યથામતિ વતન રાખવું એ સૌજન્યનું એક મુખ્ય અંગ કિવા લક્ષણ છે એમ ગમે તે વખતે સ્વીકારવું જોઈએ. માંજન્યના આ લક્ષણમાં “સૌજન્ય’ શબ્દ હોવાથી “ગળ્યું શું તે જેમાં ગળપણ હાય તે” એવા પ્રકારના લક્ષણ પ્રમાણે એમાં અન્યાશ્રય દેવ આવે છે; પણ પૂરું જ્ઞાન થતા સુધી તે અપરિહાર્ય છે. * આપણે જાણી શકયા છીએ કે અમુક રાજમહેલમાં પ્રત્યેક પ્રકારની મૂલ્યવાન સામાન ભરેલા છે. પરંતુ ધારો કે તેની સર્વ આરડીએની કૂચીઓ આપણી પાસે ન હતાં બહારની બે ચાર ઓરડીઓની છે. આપણે તે રાજભુવનના સાહિત્યનું વર્ણન કેવું કરીશું? કહીશું કે તેમાં ટેબલ, ખુરશી, ગાલીચા, છબી, આસા, ઝુ મર છે અને બીજો પણ કેટલાયે પ્રકારને કીંમતી સામાન છે. સર્વ સામાનનું વર્ણન કરવામાં કેટલીક વસ્તુનાં નામ આપી બીજો પણ કીંમતી સામાન છે એ શબ્દ આપણે દાખલ કર્યા છે. આ વર્ણનમાં “સામાન” શબ્દ દ્વિરુક્ત છે પણ સર્વ ઓરડીમાં શું શું છે તે જાણવાનું સાધન નહિ હોવાથી તેમના સામાનનું વર્ણન વસ્તુના નામનિર્દેશ સાથે કરી શકાતું નથી અને સામાન” એ સામાન્ય શ: વાપરવો પડે છે. તાળાવાળી ઓરડીમાં કંઈ પણ કીંમતી નામાન ; એની ખબર પડવા છતાં કૂચીઓના અભાવે તેનું વર્ણન એ રીતે કરવું પડે છે. આ વર્ણનમાં અન્યાશ્રય દેવ હોય જ તે અપરિહાર્ય છે. *ટી. એચ. ગ્રીને પોતાના Prolegomena to Ethics નામના ગ્રંથમાં આ પ્રશ્નનું વિવેચન કર્યું છે તે જોવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy